રાજ્ય સરકારે લોકડાઉન પાર્ટ 4માં કેટલીક છૂટછાટ આપી છે. ત્યારે વ્યસનીઓની માંગને લઇ પાન મસાલાની દુકાનોને ખોલવાની પણ મંજૂરી આપી છે. ત્યારે રાજ્યમાં પાન-મસાલા દુકાનને છૂટના નિર્ણય પર IPS ઓફિસરે કેટલાક ટ્વિટ કર્યા હતા. જોકે તેમણે આ છૂટછાટ અંગે સ્પષ્ટતા કરાત કહ્યું કે, વ્યસન પ્રત્યે લોકોમાં જાગરૂકતા માટે આ ટ્વિટ છે સરકારની ટીકાનો કે કટાક્ષનો કોઈ હેતુ નથી.
પાનના ગલ્લા ખુલ્લા કરવા મુદ્દે IPS દિપક મેઘાણીએ કર્યા ટ્વિટ
પાનના ગલ્લા ખુલ્લા અને જીમ બંધ રાખવાના સરકારના નિર્ણય પર વડોદરામાં ફરજ બજાવતા IPS દિપક મેઘાણીએ ટ્વિટ કર્યા હતા. મેઘાણીએ ટ્વિટ કરતા કહ્યું કે માવો ખાઈ શકાશે પણ મગદળ નહીં ઊંચકી શકાય. ફિટનેસ હારી, ફાકી જીતી! પ્રોટીન હાર્યું, પડીકી જીતી તેવું ટ્વિટ કર્યું હતું.
આ IPS અધિકારીએ પાન મસાલાને લઇને અનેક ટ્વિટ કર્યા હતા.
સરકારની ટીકાનો કે કટાક્ષનો કોઈ હેતુ નથીઃ મેઘાણી
અત્રે ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન 1, 2 અને 3માં પાન-મસાલાના ગલ્લાઓને બંધ હતા. પરંતુ લૉકડાઉન 4માં પાનના ગલ્લાઓ ખોલવાનો રાજ્ય સરકા માટેનો નિર્ણય કરાયો છે. દુકાનમાં પાન-મસાલા સહિતની ચીજ વસ્તુઓ મળી શકશે. ત્યારે હવે આ અંગે IPS અધિકારીએ એમ પણ જણાવ્યું છે કે, ટ્વીટનો શુભ હેતુ માવામસાલાનાં વ્યસન પ્રત્યે લોકોમાં જાગરૂકતા આવે એ માટે છે. આનું મનસ્વીપણે અર્થઘટન ના કરશો. માવાનાં બદલે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા માટે તથા વ્યસનમુક્તિ માટે આવું લખ્યું હતું. સરકારની ટીકાનો કે કટાક્ષનો કોઈ હેતુ નથી.
ટ્વીટનો શુભ હેતુ માવામસાલાનાં વ્યસન પ્રત્યે લોકોમાં જાગરૂકતા આવે એ માટે છે. આનું મનસ્વીપણે અર્થઘટન ના કરશો. માવાનાં બદલે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા માટે તથા વ્યસનમુક્તિ માટે આવું લખ્યું હતું. સરકારની ટીકાનો કે કટાક્ષનો કોઈ હેતુ નથી.