કટિબદ્ધતા પોલીસમાં જોડાવાની સાથે જ હોય એ નોકરીની ફરજ હોય કે સામાજિક ફરજ એક IPSએ 7 વર્ષ પહેલાં શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો હતો અને સતત 7 વર્ષથી રેન્જ IG પોતાનો જન્મ દિવસ આદિવાસી બાળાઓ સાથે ઉજવે છે.
ભિક્ષુક પરિવારોના બાળકોને જ્ઞાનની જ્યોત
300 બાળાઓ વિનામૂલ્યે મળે છે
20 બાળાઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે
બનાસકાંઠાના તત્કાલીન SP અશોક કુમાર યાદવે 7 વર્ષ અગાઉ પોતાના જન્મદિવસ નિમિત્તે અંતરિયાળ વિરમપુર વિસ્તારમાં 100 આદિવાસી બાળકીઓને દત્તક લઈ શિક્ષણનો સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. આજે 7 વર્ષ બાદ પણ ભાવનગર રેન્જ IG અશોક કુમાર યાદવ પોતાનો જન્મ દિવસ વિરમપુરની આદિવાસી બાળાઓ સાથે ઉજવે છે.
ખાસ કરીને IPSનો હેતુ હતો કે વિરમપુરના ગરીબ આદિવાસી પરિવારની બાળાઓને શિક્ષણ મળે અને એ હેતુથી 100 આદિવાસી બાળાઓને દત્તક લઈ શાળા શરૂ કરી હતી, જે આજે વટવૃક્ષ બની ગયું છે. આજે વિરમપુર વિસ્તારની આદિવાસી 300 બાળાઓ વિનામૂલ્યે સારું શિક્ષણ મેળવી રહી છે. તો પવિત્ર યાત્રાધામ અંબાજીના ગબ્બર આસપાસ રહેતા ભિક્ષુક પરિવારોના બાળકો પણ ભિક્ષા માંગી અને જીવન વિતાવતા હતા.
IPSની પહેલ, વિનામૂલ્ય શિક્ષણ
ત્યારે આ IPSની પહેલથી આ ભિક્ષાવૃત્તિ કરતી બાળાઓને પણ શિક્ષણમાં જોડી છે. આ ભિક્ષાવૃત્તિ કરતી ૨૦ જેટલી બાળાઓ અત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. વિનામૂલ્ય શિક્ષણ અને ગરીબ ભરથરી પરિવારના રૂમમાં એક શિક્ષણની જ્યોત જગાવવાની સાથે IPS અશોક કુમાર યાદવ સમાજમાં પણ એક સંદેશ જાય એ હેતુથી સતત સાત વર્ષથી આ આદિવાસી બાળાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરે છે.
300 જેટલી બાળાઓને શિક્ષણકાર્યમાં જોતરી
વિરમપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં 300 જેટલી બાળાઓને શિક્ષણના યજ્ઞ થકી શિક્ષણ આપી અને IPS અશોકકુમાર યાદવે એક શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો જ સાથે-સાથે ગબ્બર પર્વત પર ભિક્ષા માગી અને જીવન વિતાવતી બાળકોને પણ શિક્ષણ કાર્યમાં જોતરી છે અને આજે 20 જેટલી ભીખ માગી અને શિક્ષણથી વંચિત હતી તે બાળાઓ પણ આજે વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું મફત શિક્ષણ મેળવી રહી છે.