IPLમાં આગામી વર્ષે Mega Auction થવાનું છે. ત્યારબાદ દરેક ટીમો સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને દરેક ટીમોમાં ઘણાં નવા ખેલાડીઓ જોવા મળશે. આ દરમ્યાન ક્રિકેટના દરેક ચાહકોની ધ્યાન આ વાત પર કેન્દ્રીત છે કે આરસીબીનો નવો કેપ્ટન કોણ બનશે. ઉલ્લેખનીય છે કે આરસીબીના હાલના કેપ્ટન પહેલા જ ખુલાસો કરી ચૂક્યા છે કે આવતા વર્ષે તેઓ આ ટીમના કેપ્ટન રહેશે નહીં. આવામાં લાંબા સમય બાદ આરસીબીને એક નવો કેપ્ટન મળશે.
આરસીબીનો નવો કેપ્ટન કોણ બનશે?
દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયરનું નામ ચર્ચામાં
શ્રેયસ ઐયરની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સે સફળતાના શિખરો સર કર્યા
આ ખેલાડી બની શકે નવો કેપ્ટન
આરસીબીને આગામી સિઝનમાં એક નવો કેપ્ટન મળશે. કેપ્ટનના પદ માટે ઘણાં સ્ટાર ખેલાડી દાવેદાર થઇ શકે છે. પરંતુ અત્યારે સૌથી મોટું નામ દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયરનું નામ ચર્ચામાં છે. ઐયરે હાલમાં નિર્ણય કર્યો છે કે તેઓ દિલ્હીનો સાથ છોડી પોતાનું નામ હરાજીમાં મુકી દેશે. એવામાં આરસીબીની ટીમ શ્રેયસ ઐયરને આવશ્ય પોતાની ટીમ સાથે જોડશે.
દિલ્હી ટીમને મળી સારી સફળતા
શ્રેયસ ઐયરની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમને સારી સફળતા મળી છે. દિલ્હીની ટીમે 2020 સિવાય ક્યારેય પણ આઈપીએલની ફાઈનલમાં પ્રવેશ કર્યો નથી. આ ટીમને ફાઈનલ સુધી લઇ જનારા કેપ્ટન શ્રેયસ ઐયર હતા. જોકે, 2021ની શરૂઆતમાં ઐયર ઈજાગ્રસ્ત થયા હતા અને દિલ્હીના કેપ્ટનપદેથી તેમને હટાવી દેવામાં આવ્યા હતા. રિષભ પંત અત્યારે દિલ્હીના કેપ્ટન છે. પંતની આગેવાનીમાં આ વર્ષે દિલ્હીની ટીમ ક્વોલીફાયર સુધી પહોંચી હતી.
વિરાટે છોડ્યુ સુકાનીપદ
વિરાટ કોહલીએ આઈપીએલમાં આરસીબીનું કેપ્ટન પદ પણ છોડી દીધુ છે. આરસીબીની કેપ્ટનશિપ સંભાળવા માટેની અંતિમ સિઝન હતી. વિરાટ કોહલી ઈચ્છતા હતા કે તેઓ આઈપીએલ ટ્રોફીની સાથે આઈપીએલમાં કેપ્ટનશિપ છોડી દે. પરંતુ આવુ થયુ નથી અને તેમણે ફરીથી લાંબી રાહ જોવી પડશે. વિરાટની આગેવાનીમાં આરસીબી 2016માં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ હૈદ્રાબાદ ટીમ તરફથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન તરીકે 2021ની આઈપીએલ સિઝન તેમની અંતિમ સિઝન હતી. ઉલ્લેખનીય છે કે, વિરાટ સાત વર્ષથી આરસીબીના કેપ્ટન છે, પરંતુ તેમની આગેવાનીમાં આ ફ્રેન્ચાઈઝી ટીમ એક પણ વખત ચેમ્પિયન બની નથી.