કોરોના વાયરસના કારણે વિશ્વમાં સ્પોર્ટ્સ જગતને જોરદાર ઝટકો લાગ્યો છે. જોકે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઇ રહી છે ત્યારે BCCIમાં આઈપીએલ અને પ્રેક્ટીસ કેમ્પના આયોજનને લઈને હલચલ તેજ થઇ ગઈ છે. અપેક્સ કાઉન્સિલની બેઠકમાં પ્રેક્ટીસ કેમ્પના આયોજનને લઈને ચર્ચા કરવામાં આવી જેમાં દુબઈ. ધર્મશાળા અથવા અમદાવાદમાં આ કેમ્પના આયોજનની સંભવાના છે.
કોરોના વાયરસ સંક્રમણને જોતા ભારત બહાર આઈપીએલ થાય તેવી સંભવાના
જો દુબઈમાં આઈપીએલ થશે તો કેમ્પ પણ ત્યાં જ યોજાશે
ધર્મશાળા અને મોટેરામાં યોજાઈ શકે છે કેમ્પ
ફરીથી ક્રિકેટની થશે વાપસી !
કોરોના વાયરસના કારણે લાંબા સમયના વિરામ બાદ કેટલાક દેશોમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઇ ગઈ છે અને ઘણા બધા દેશોમાં ટ્રેનિંગ કેમ્પ પણ શરુ થઇ ગયા છે. એવામાં ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે હજુ સુધી ટ્રેનિગ કેમ્પ શરુ થઇ શક્યા નથી. ટીમ ઇન્ડિયાની પ્રેક્ટીસ મેચ ભારતની બહાર યુનાઇટેડ અરબ અમીરાતમાં થઇ શકે છે. આ સિવાય અમદાવાદ અને ધર્મશાલા એવા બે સ્થળો છે જ્યાં ટ્રેનિંગ કેમ્પ આયોજિત કરી શકાય છે. BCCIની એપેકસ કાઉન્સિલની બેઠકમાં તેને લઈને ચર્ચા કરવામાં આવી છે.
સપ્ટેમ્બર અથવા નવેમ્બર સુધી IPLનું આયોજન થઇ શકે
કોરોના વાયરસના વધતાં કેસને જોતા દુબઈમાં જ સપ્ટેમ્બર અથવા નવેમ્બર સુધી IPLનું આયોજન થઇ શકે છે. એવામાં ભારતીય ક્રિકેટર માટે દુબઈમાં જ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરી શકાય છે. બોર્ડની અપેક્સ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને અંતિમ નિર્ણય આઈપીએલ સંચાલન સમિતિ દ્વારા લેવામાં આવશે.
દુબઈમાં જ મેચ યોજાય તેની પ્રબળ સંભાવના
બોર્ડના અધિકારીએ કહ્યું કે IPL દુબઈમાં જ થાય તેની સંભાવના સૌથી વધુ છે કારણ કે કોરોના વાયરસ મહામારીના કારણે ભારત અસુરક્ષિત થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે પ્રેક્ટીસ કેમ્પ ધર્મશાળા અથવા મોટેરા સ્ટેડીયમમાં પણ થઇ શકે છે જોકે કોરોનાની સ્થિતિને જોતા દુબઈ સૌથી વધારે સુરક્ષિત છે.