IPL 2021ની માટે ખેલાડીઓની હરાજી માટેની તારીખ નક્કી થઈ ગઈ છે પણ તે પહેલાજ ઘણી ફ્રેન્ચાઇઝીએ તેમનાં પ્લેયર્સને રિટેન અને રિલીઝ કર્યાં છે, જેમાં અમુક ચોંકાવનારા નામો પણ જોવા મળ્યા છે.
આઈપીએલ 2021 માટે ઘણાં સિનિયર પ્લેયર્સને ફ્રેન્ચાઈઝીએ ટીમમાંથી બાકાત કર્યાં છે
ઘણાં એવા પ્લેયર્સ છે જેમનું નબળુ પર્ફોર્મન્સ હોવા છતા તે પ્લેયરને રિટેન કરાયા છે
આઈપીએલ 2021માં ઘણાં એવા પ્લેયર્સ છે જેમને રિટેન કરવા ભારે પડી શકે છે
અમુક પ્લેયર્સને રિટેન કરવાનો નિર્ણય ચોંકાવનારો
આઇપીએલ-૨૦૨૧ માટે બધી ટીમોએ પોતાના ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરી દીધા છે. આ વર્ષે ખેલાડીઓને રિટેન કરવા અંગેના કેટલાક નિર્ણયોએ બધાંને ચોંકાવી દીધા છે. ટીમોએ ઘણા મોટા ખેલાડીને ટીમ બહાર કરી દીધા છે, જોકે કેટલાક એવા ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમનું પ્રદર્શન ગત આઇપીએલમાં ખરાબ રહેવા છતાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો. આજે એવા કેટલાક ખેલાડીની વાત કરીએ, જેને રિટેન કરવા આઇપીએલ ફ્રેંચાઇઝીની મોટી ભૂલ સાબિત થઈ શકે છે. KKRની કમાન ઇયોન મોર્ગનનાં હાથમાં અપાઈ
દિનેશ કાર્તિકઃ આઇપીએલની ગત સિઝનમાં દિનેશ કાર્તિકે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન તરીકે શરૂઆત કરી હતી, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનના કારણે દિનેશે કેપ્ટનશિપ ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનના હવાલે કરી દીધી. ત્યાર બાદ પણ દિનેશ કાર્તિક પોતાની ટીમ માટે ખાસ કંઈ કરી શક્યો નહીં. બેટિંગમાં કાર્તિકનું પ્રદર્શન બહુ જ નિરાશાજનક રહ્યું. કાર્તિકે ૧૪ મેચમાં ૧૬૯ રન બનાવ્યા હતા. આમ છતાં કેકેઆર ટીમ મેનેજમેન્ટે દિનેશને રિટેન કર્યો છે. આ વર્ષે કદાચ કેકેઆર માટે કાર્તિકને રિટેન કરવો એ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ ફાસ્ટ બોલરને રિટેન કરવો ભારે પડી શકે છે
જયદેવ ઉનડકટઃ આ વર્ષે રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથ જેવા દિગ્ગજ ખેલાડીને રિલીઝ કરી દીધો. સ્મિથનું ગત વર્ષનું પ્રદર્શન બહુ જ નિરાશાજનક રહ્યું હતું, જોકે રાજસ્થાન રોયલ્સની સૌથી મોટી ભૂલ એ છે કે તેણે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને રિટેન કર્યો. જયદેવ ગત સિઝનમાં રમેલી સાત મેચમાં માત્ર ચાર જ વિકેટ ઝડપી શક્યો હતો અને સાથે-સાથે તેણે રન પણ બહુ જ ખર્ચી નાખ્યા હતા. આવા કંગાળ પ્રદર્શન છતાં તેને રિટેન કરવાે ટીમને ઘણું મોંઘું પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું
પૃથ્વી શોઃ તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પૃથ્વી શો ટીમ ઇન્ડિયાનો હિસ્સો હતો. એ પ્રવાસ દરમિયાન પૃથ્વીનું પ્રદર્શન બહુ જ ખરાબ રહ્યું હતું અને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ગત આઇપીએલ સિઝનમાં પણ પૃથ્વી ખાસ કંઈ કરી શક્યો નહોતો અને ભૂલો કરતો રહ્યો. ત્યાર બાદ તેને અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. હાલ પણ તેનું કંગાળ ફોર્મ ચાલુ જ છે. પૃથ્વીને રિટેન કરવાની ફ્રેંચાઇઝીની એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. 41 વર્ષનો આ પ્લેયર સીએસકે માટે કેટલો ઉપયોગી ?
ઇમરાન તાહિરઃ આઇપીએલની ગત સિઝનમાં ઇમરાન તાહિરને મોટા ભાગની મેચમાં બહાર બેસવાનો વારો આવ્યો હતો. તાહિર માત્ર ત્રણ જ મેચ રમ્યો હતો, જેમાં તે એક જ વિકેટ ઝડપી શક્યો હતો. તાહિરની ઉંમર ૪૧ વર્ષની છે. આ સ્થિતિમાં સીએસકેનો નિર્ણય કેટલો સાચો સાબિત થશે એ જોવું રહ્યું.