મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે શનિવારે કહ્યુ કે, દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL) નું આયોજન પાછળથી કરવામાં આવી શકે છે.
ટોપેએ જણાવ્યુ કે, ''જ્યારે મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ જમા થાય ત્યારે આ ચેપી બિમારીઓ ઝડપથી ફેલાઇ શકે છે. એવામાં જો IPL આયોજનો માટે આ સમય યોગ્ય નથી, તેને પછી
આયોજિત કરવી જોઇએ.''
ટોપેએ એમ પણ જણાવ્યુ કે, IPL સ્થગિત કરવા સંબંધ સત્તાવારી રીતે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરવામાં આવશે.મહારાષ્ટ્ર મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે IPL શરૂ થવામાં ગણતરીના દિવસો બાકીછે. આ લીગની શરૂઆત 29 માર્ચથી થવાની છે અને પ્રથમ મેચે વાનખેડે સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયનમુંબઇ ઇન્ડિયન્સને ટક્કર ચેન્નાઇ સુપરકિંગ્સની સાથે થશે. જોકે BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, IPL નું નક્કી તારીખે જ રમાશે અને કોરોનાથી નિપટવા માટે શક્ય પગલા લેવામાં આવશે.
સૌરવ ગાંગુલીને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે કહુ કે, IPL ઑન છે અને બોર્ડ ટૂર્નામેન્ટઆ આયોજન અંગે તમામ જરૂરી પગલા ઉઠાવવા તૈયાર છે. સ્વાસ્થ્ય મંત્રાયલ દ્વારા મળેલી સત્તાવાર આકંડા અનુસાર, અત્યાર સુધી કોરોના વાયરલ 34 કન્ફર્ડ કેસની પુષ્ટિ થઇ ચૂકી છે.
BCCI ના અધિકારી અનુસાર, બોર્ડ સરકારના નિર્દેશોનું પાલન કરતા કોરોના વિશે તમામ પગલા લેવા માટે તૈયાર છે. આ સંબંધ તમામ સ્ટેકહોલ્ડર્સ, ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી, એરલાઇન્સ, ટીમ હોટેલ્સમાં, ફેન્ચાઇઝી, એરલાઇન્સ, બ્રોડકાસ્ટિંગ ક્રૂ અને આ લાગી સાથે જોડાયેલા તમામ પક્ષો અંગે સાવધાની વર્તવા માટે સરકારના આદેશોનું પાલન કરવા માટે કહેવામાં આવશે,
બોર્ડે આ સાથે તેમ પણ કહ્યુ કે, ખેલાડીઓને કહેવામાં આવશે કે ફેન્સની સાથે હાથ ન મિલાવે અને તેવા કોઇ ડિવાઇસથી ફોટોના જુઓ, જે તેમનુ ના હોય. કહેવાય છે કે, કોરોનાથી અત્યાર સુધી દુનિયામાં 3000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.