કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા હવે IPL 2022નું આયોજન દર્શકો વગર પણ થઇ શકે છે. જાણો આ વિષે વિગતવાર
26 માર્ચથી શરુ થશે IPL 2022
BCCI લઇ શકે છે આ નિર્ણય
ફેંસને લાગી શકે છે મોટો ઝટકો
26 માર્ચથી શરુ થશે IPL 2022
IPL 2022 હવે બસ થોડા જ દિવસોમાં શરુ થશે. 26 માર્ચનાં રોજ પહેલી મેચ કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે રમવામાં આવશે, પરંતુ આ પહેલા ફેંસ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, કેમકે હવે IPL 2022નું આયોજન બંધ દરવાજાઓ વચ્ચે થઇ શકે છે. આવો જાણીએ શા માટે.
ફેંસને મોટો ઝટકો
IPL 2022 માટે ફેંસને મોટો ઝટકો લાગી શકે છે. હવે IPL 2022ને દર્શકો વજ્ર જ યોજવામાં આવી શકે છે. પહેલા મહારાષ્ટ્ર સરકારે ટૂર્નામેન્ટમાં 25 ટકા દર્શકોને આવવાની અનુમતિ આપી હતી, પરંતુ હવે આ આદેશને પાછો ખેંચવામાં આવી શકે છે. કેંદ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં નવા કોવિડ-19 ખતરાની ચેતવણી આપી છે, જેની અસર IPL પર પડી છે. IPL 2022ની મોટાભાગની મેચ મુંબઈના મેદાન પર રમાશે.
કેંદ્રએ રાજ્યોને કર્યા અલર્ટ
મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે અમને કેંદ્ર સરકાર તરફથી અલર્ટ રહેવા માટે પત્ર મળ્યો છે કેમકે યૂરોપીય દેશો, સાઉથ કોરિયા અને ચીનમાં કોવિડ-19નાં મામલાઓમાં વૃદ્ધિ જોવા મળી છે. આ જ હેઠળ અમારા સ્વાસ્થ્ય વિભાગે પત્ર જાહેર કરીને સતર્ક રહેવા અને આવશ્યક પગલાઓ ભરવાનું કહ્યું હતું. IPL મેચ પર અમે અત્યારે કંઈપણ કહેવા માંગતા નથી.
We've received a letter from Central Govt to be on alert as there is a surge in Covid cases across European Countries, South Korea & China. Accordingly, our health department had issued a letter to DCs to be cautious & take necessary steps: Maharashtra Health Minister Rajesh Tope pic.twitter.com/jz2oauhmPw
મુંબઈમાં રમાશે સૌથી વધારે મેચ
કોરોના મહામારીને કારણે મોટાભાગના મુકાબલાઓ મહારાષ્ટ્રમાં થશે. રાઉન્ડમાં કુલ 70 મુકાબલા થશે. મુંબઈનાં ત્રણ વેન્યૂ વાનખેડે સ્ટેડિયમ, ડીવાય પાટિલ અને બ્રેબોર્નમાં કુલ 55 મુકાબાલા રમાશે. આ ઉપરાંત પૂનામાં 15 મેચ રમાશે. બધી 10 ટીમ વાનખેડે અને ડીવાય પાટિલમાં 4-4 મુકાબલા રમશે. આ ઉપરાંત, પૂના and બ્રેબોર્નમાં 3-3 મેચ રમવામાં આવશે.
કોરોના મહામારીથી પ્રભાવિત IPL
કોરોના માહામારીને કારણે IPL પર પણ અસર જોવા મળે છે. ગયા વર્ષે કોરોનાને કારણે IPLને યૂએઈ શિફ્ટ કરવામાં આવી હતી. હવે કોરોનાનાં પ્રકોપને કારણે IPL 2022નું આયોજન મહારાષ્ટ્રમાં થશે. મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા 171 મામલાઓ સામે આવ્યા છે. એટલા માટે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે અલર્ટ પર છે અને કોઈપણ પ્રકારની ઢીલ આપવા માંગતી નથી.