બિરલા, અદાણી અને ટોરેન્ટ જેવા મોટા વ્યાપારી ગ્રુપ આઈપીએલની બે નવી ટીમો ખરીદવાની સ્પર્ધામાં સામેલ છે. બીસીસીઆઈએ નવી ટીમો માટે ટેન્ડર દસ્તાવેજ ખરીદવાની સમય મર્યાદા 20 ઓક્ટોબર સુધી 10 દિવસ માટે વધારી દીધી છે. વિશ્વનીય સુત્રો મુજબ, બે નવી ફ્રેન્ચાઈઝીમાં દરેકની કિંમત 3500 કરોડ રૂપિયાથી ઓછી નહીં હોય.
મોટા વ્યાપારી ગ્રુપ આઈપીએલની બે નવી ટીમો ખરીદવાની સ્પર્ધામાં
BCCI એ નવી ટીમો માટે ટેન્ડર દસ્તાવેજ ખરીદવાની સમય મર્યાદા વધારી
2022માં આઈપીએલમાં ગુજરાતની ટીમોનો થઈ શકે સમાવેશ
આઈટીટી દસ્તાવેજની તારીખને વધારવામાં આવી
આઈપીએલની સંચાલન પરિષદે 31 ઓગષ્ટે 10 લાખ રૂપિયાની ટેન્ડર ફી (જેની પાછી કરી શકાય નહીં)ની ચૂકવણી પર ટેન્ડર આમંત્રણ (આઈટીટી) દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યું હતુ. આ અગાઉ 10 ઓક્ટોબર સુધી તેને વધારવામાં આવ્યુ હતુ. બીસીસીઆઈ અનુસાર, અલગ-અલગ રસ ધરાવતી કંપનીઓની વિનંતીને ધ્યાનમાં રાખીને આઈટીટી દસ્તાવેજ ખરીદવાની તારીખને વધારીને હવે 20 ઓક્ટોબર 2021 સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2022માં આઈપીએલમાં ગુજરાતની ટીમો જોડાય તેવી શક્યતા
બીસીસીઆઈની યોજના 2022 આઈપીએલના તબક્કામાં વધુ બે ટીમોને જોડવાની છે અને તેમાં અમદાવાદ, લખનઉ અને પુણેની ટીમોને સમાવેશ થવાની આશા છે. જાણવા મળ્યું છે કે મોટા વ્યવસાયિક ગ્રુપ જેમ કે કોટક ગ્રુપ, અરબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, આરપી-સંજીવ ગોયનકા ગ્રુપ, બિડલા ગ્રુપ અને અદાણી ગ્રુપ આઈપીએલમાં ટીમ ખરીદવા માટે ઈચ્છુક છે, જે અત્યારે આઠ ટીમોની ટુર્નામેન્ટ છે. બીસીસીઆઈ ઓછામાં ઓછી 7000 કરોડ રૂપિયાની કમાણી કરવાની આશા રાખી રહ્યું છે, જ્યારે દરેક ટીમની બેઝ પ્રાઈસ 2000 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
બોલી લગાવવાની આપી મંજૂરી
બીસીસીઆઈના ત્રિપક્ષીય જૂથના સમુહને બોલી લગાવવાની મંજૂરી આપી છે. નવી ટીમોની જાહેરાત દુબઈમાં 25 ઓક્ટોબરે થવાની આશા છે. જેના એક દિવસ પહેલાં ભારત ટી-20 વિશ્વ કપમાં પોતાના અભિયાનની શરૂઆત પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામેથી કરશે.