બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / RCB પોઈન્ટ ટેબલમાં ટોચ પર છતાં હજુ સરળ નથી પ્લેઓફનો રસ્તો! જાણો સંપૂર્ણ સમીકરણ
Last Updated: 05:10 PM, 18 May 2025
IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની 58મી મેચ શનિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમવાની હતી, પરંતુ યજમાન શહેરમાં સતત વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ઇન્ડિયન પ્રીમિયર લીગની 58મી મેચ શનિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમવાની હતી, પરંતુ યજમાન શહેરમાં સતત વરસાદને કારણે એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરવામાં આવી. જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો કારણ કે મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.
ADVERTISEMENT
આ પરિણામ પછી આરસીબી 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું અને પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની તેમની શક્યતાઓ મજબૂત થઈ ગઈ. બીજી તરફ કેકેઆરની સફર આ ધોવાણ સાથે સમાપ્ત થઈ ગઈ. 12 પોઈન્ટ સાથે તેઓ હવે સત્તાવાર રીતે પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગયા છે.
કેકેઆર આઇપીએલ 2025માંથી બહાર થનારી ચોથી ટીમ બની. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, અને સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે. કેકેઆર હવે આ યાદીમાં ચોથી ટીમ બની ગઈ છે.
પરંતુ શું આરસીબીનું સ્થાન નિશ્ચિત છે?
જોકે આરસીબી 17 પોઈન્ટ પર પહોંચી ગયું છે, ટોપ-4 માં તેમનું સ્થાન હજુ પણ નિશ્ચિત નથી. આગામી મેચોના પરિણામો પ્લેઓફમાં તેમનો પ્રવેશ નક્કી કરશે. આરસીબી હવે 18 મેના રમાનારી ડબલ હેડર (બે મેચ) પર નજર રાખશે, જ્યાં રાજસ્થાન રોયલ્સ (RR) નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) નો સામનો ગુજરાત ટાઇટન્સ (GT) સાથે થશે. જો પંજાબ કિંગ્સ અથવા દિલ્હી કેપિટલ્સ તેમની મેચ હારી જાય, તો આરસીબી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે.
આ પણ વાંચોઃ IPL 2025 / આજે ગુજરાત અને દિલ્હી વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટથી લઈને હેડ ટુ હેડ રેકોર્ડ
રજત પાટીદારના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન
રજત પાટીદારના નેતૃત્વમાં આરસીબીએ આ સિઝનમાં સતત સારું પ્રદર્શન કર્યું છે અને તેઓ ઇચ્છે છે કે બાકીની મેચોના પરિણામો તેમના પક્ષમાં આવે, જેથી તેમનું પ્લેઓફ સ્થાન સુનિશ્ચિત થઈ શકે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને કારણે આઇપીએલ 2025 10 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.