બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ આજે આ રૂટ પરથી પસાર ન થતા, નહીંતર ખાવો પડશે ધરમ ધક્કો
Last Updated: 09:17 AM, 25 March 2025
IPL 2025ની સિઝન ચાલી રહી છે. ત્યારે આજે 25 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સીધી ટક્કર જામશે. જે મેચ ગુજરાતના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જે મેચને લઈ ખેલાડીઓ અમદાવાદમાં પણ આવી ગયા છે. ત્યારે આ મેચને લઈ અમદાવાદ શહેરના કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો કેટલાક રસ્તાઓ પર વાહન ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. તો બીજી તરફ મેટ્રોનો સમય પણ લંબાવાયો છે.
ADVERTISEMENT
12.30 વાગ્યા સુધી મેટ્રો દોડશે
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તારીખ 25, 29 માર્ચ, 9 એપ્રિલ, 2જી મે અને 14 મેના રોજ મેચ યોજાનારી છે. જેના પગલે GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
આ રસ્તા પર અવર જવર પર પ્રતિબંધ
શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
આ પણ વાંચો: પ્રશ્નોત્તરી કાળથી આજે શરૂ થશે ગુજરાત વિધાનસભા બેઠકની શરૂઆત, જાણો કયા-કયા મુદ્દાઓ ચર્ચાશે
વૈકલ્પીક રસ્તો
તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.