આઈપીએલ 2023માં સીએસકેની કેપ્ટનશિપને લઇને સતત ચર્ચા થઇ રહી છે અને નામ પણ સામે આવી રહ્યાં છે.
IPL 2023માં સીએસકેની કેપ્ટનશિપને લઇને થઇ રહી છે ચર્ચા
સીએસકેના સીઈઓએ સ્પષ્ટતા કરી છે કે ધોની કેપ્ટન હશે કે નહીં
સીએસકેએ પણ તેના ઘણા ખેલાડી રિલીઝ કર્યા છે
તો હવે ધોની કેપ્ટન હશે કે નહીં?
આઈપીએલ 2023 માટે ટીમોએ તેના ખેલાડી રિલીઝ કરી દીધા છે અને અન્ય ખેલાડીઓ રિટેન થયા છે. એમએસ ધોનીની આગેવાનીવાળી અને ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ સીએસકેએ પણ તેના ઘણા ખેલાડી રિલીઝ કર્યા છે. આ દરમ્યાન હવે સીએસકેના સીઈઓએ સ્પષ્ટતા કરી છે કે ધોની કેપ્ટન હશે કે નહીં.
એમએસ ધોની IPL 2023માં ટીમની કેપ્ટનશિપ કરશે
આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ એટલેકે સીઈઓ કેએસ વિશ્વનાથને પુષ્ટિ કરી છે કે ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર બેટર એમએસ ધોની ટી20 ટુર્નામેન્ટની 2023ની સિઝનમાં ટીમની કેપ્ટનશિપ કરશે. વિશ્વનાથને સીએસકે ટીવીને જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ આગામી સિઝનમાં સારું પ્રદર્શન કરશે. 2023 આઈપીએલ પહેલા સીએસકેના રિટેન અને રિલીઝ ખેલાડીઓની જાહેરાત કર્યાના એક દિવસ બાદ વિશ્વનાથને કહ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે એમએસ ધોની ટીમનુ નેતૃત્વ કરવા જઇ રહ્યાં છે અને તે ટીમ માટે પોતાનુ શાનદાર યોગદાન આપશે. સીએસકેએ ડ્વેન બ્રાવો, એડમ મિલ્ને, ક્રિસ જોર્ડન, એન જગદીસન, સી હરિ નિશાંત, કે ભગત વર્મા, કેએમ આસિફ અને રોબિન ઉથપ્પાને રિલીઝ કરી દીધા છે, જેણે સંન્યાસની જાહેરાત કરી દીધી છે.
ફ્રેન્ચાઈજી ખેલાડીઓની સાથે ખૂબ ભાવુક
કેએસ વિશ્વનાથને કહ્યું કે સીએેસકેના ઘણા વિજયી અભિયાનોનો ભાગ રહેલા ખેલાડીઓને રિલીઝ કરવા કપરા છે, ફ્રેન્ચાઈજી ખેલાડીઓની સાથે ખૂબ ભાવુક છે. વિશ્વનાથને કહ્યું કે જ્યાં સુધી રિટેન કરવાનો સવાલ છે તો આ એક કપરો નિર્ણય છે. જેમકે તમે જાણો છો કે સીએસકે પોતાના ખેલાડીઓની સાથે ભાવુક રહી છે અને તેઓ પણ ફ્રેન્ચાઈજી માટે આટલુ સારું યોગદાન આપી રહ્યાં છે.