IPL 2023 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેંડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની વચ્ચે રમાશે. એવામાં IPLમાં ધોનીના સંન્યાસ મુદ્દે રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે.
31 માર્ચથી શરૂ થશે IPL 2023
શું આ સીઝન હશે ધોનીની છેલ્લી IPL?
રોહિત શર્માએ સંન્યાસ મુદ્દે જાણો શું કહ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023 સીઝનની શરૂઆત 31 માર્ચથી થવા જઈ રહી છે. પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેંડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની વચ્ચે રમાશે. 41 વર્ષના ધોની પોતાની કેપ્ટનસીમાં ચેન્નાઈ ટીમને પાંચમી વખત ટ્રોફી જીતાડવા માટે મેદાને ઉતરશે. પરંતુ આ વખતે રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ધોનીની IPLમાં આ છેલ્લી સીઝન હોઈ શકે છે.
આજ સવાલ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને એક પત્રકારે પુછ્યો તો તેમણે જવાબ આપતા કહ્યું- "હું છેલ્લા 2-3 વર્ષથી સાંભળી રહ્યો છું કે આ એમએસ ધોનીની છેલ્લી IPL સીઝન હશે." પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે કહ્યું- મને લાગે છે કે ધોની હાલ ફિટ છે. તે હજુ પણ બીજી સીધન રમી શકે છે. જણાવી દઈએ કે ધોનીએ પહેલા પણ 15 ઓગસ્ટ 2020એ ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધી હતી.