IPL 2023 માંથી LSGની બહાર થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ નવીન-ઉલ-હકને ટ્રોલ કર્યો હતો.
LSGની હાર બાદ MIના ખેલાડીઓએ નવીન-ઉલ-હકને ટ્રોલ કર્યો
સોશિયલ મીડિયા પર 'કેરી' સાથેની તસવીર પોસ્ટ કરી
થોડા સમય બાદ આ તસવીર ડિલીટ કરી દીધી
લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક આરસીબીના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી સાથેના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યો છે. ભલે ગઇકાલની મેચમાં MI સામે શાનદાર પ્રદર્શન કરીને 4 વિકેટ લીધી હશે પણ એ છતાં તેની ટીમને મેચ હારવી પડી અને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. જણાવી દઈએ કે IPL 2023 માંથી LSGની બહાર થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ નવીન-ઉલ-હકને ટ્રોલ કર્યો હતો.
જણાવી દઈએ કે ત્રણ MI ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર 'કેરી' સાથેની તસવીર પોસ્ટ કરી છે.જોકે થોડા સમય બાદ તેણે આ તસવીર ડિલીટ કરી દીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સંદીપ વારિયરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'કેરી' સાથે એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેની સાથે અન્ય બે ખેલાડીઓ વિષ્ણુ વિનોદ અને કુમાર કાર્તિકેય બેઠેલા જોવા મળે છે. ત્રણેયની સામે ત્રણ કેરીઓ પડેલી છે અને બધા ખેલાડીઓ ગાંધીજીના ત્રણ વાંદરાઓ જેવા પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરને પોસ્ટ કરતા વોરિયરે લખ્યું કે 'મીઠી કેરીની મોસમ'. ફોટો વાયરલ થયા બાદ વોરિયરે પોસ્ટને ડિલીટ કરી દીધી હતી, જોકે ત્યાં સુધીમાં ઘણા ચાહકોએ સ્ક્રીનશોટ લઈ લીધા હતા.
જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચેનો આ મુકાબલો IPL 2023ની 43મી મેચમાં થયો હતો જ્યારે RCB ટીમ મેચ રમવા માટે લખનઉ ગઈ હતી.મેચ પુરી થયા બાદ એલએસજીના મેન્ટર ગૌતમ ગંભીરની વિરાટ સાથે ઝઘડો પણ થયો હતો જે બાદ બીસીસીઆઈએ ત્રણેયને દંડ ફટકાર્યો હતો.
આ બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર LSG મેચની તસવીર પોસ્ટ કરી હતી, ત્યારબાદ નવીન-ઉલ-હકે પણ 'સ્વીટ કેરી' શબ્દો સાથે RCB મેચની તસવીર પોસ્ટ કરી હતી.આ ઘટના બાદ જ આઈપીએલમાં 'કેરી' સામાન્ય નથી રહી.