GT vs CSK: CSKએ ગુજરાત સામે સતત ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો છે. CSKની હાર પછી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિરાશા વ્યક્ત કરી છે અને હારનું કારણ જણાવ્યું છે.
CSKની ગુજરાત સામે હાર
કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હારનું કારણ જણાવ્યું
આ ખેલાડી વિશે આપ્યું નિવેદન
IPL 2023ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી હાર થઈ હતી. CSKએ પહેલા બેટીંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો. CSKએ ગુજરાત સામે સતત ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો હતો. CSKની હાર પછી કેપ્ટન ધોનીએ નિરાશા વ્યક્ત કરતા હારનું કારણ જણાવ્યું છે.
ધોનીએ જણાવ્યું હારનું કારણ (MS Dhoni Statement)
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ પછી નિવેદન આપ્યું છે કે, ‘અમને ખબર હતી કે, ઓસ થશે. બેટીંગમાં સારું પ્રદર્શન કરી શકતા હતા. ઋતુરાજ ગાયકવાડ શાનદાર હતા, તેઓ ખૂબ જ સારી બેટીંગ કરતા હતા. મને લાગી રહ્યું છે કે, યુવા ખેલાડીઓ રમે તે વધુ જરૂરી છે.’
ધોનીએ ડેબ્યૂ બોલર રાજવર્ધન હંગરગેકર વિશે જણાવ્યું છે. તેઓ જણાવે છે કે, રાજવર્ધન વધુ સારી રીતે રમી શકતા હતા અને સમયની સાથે તેઓ વધુ સારૂ રમશે. મને લાગી રહ્યું છે કે, તેઓ એક સારા બોલર બનશે. નો-બોલ એક એવી વસ્તુ છે, જે તમારા કાબૂમાં રહે છે. આ કારણોસર તમારે તેના પર કામની જરૂરિયાત છે.
ધોનીએ ડાબોળી ખેલાડીઓ વિશે નિવેદન આપતા જણાવ્યું છે કે, તેમની ટીમ સારી બોલિંગ કરી હતી. ‘મને લાગી રહ્યું છે કે, ડાબોળી બોલર એક સારો વિકલ્પ છે, આ કારણોસર હું તેમની સાથે ગયો હતો. શિવમ એક સારો વિકલ્પ હતો.’