આઈપીએલ 2023ની તૈયારીઓની વચ્ચે એમએસ ધોની અને સીએસકેના પ્રશંસકો માટે સારા સમાચાર આવ્યાં છે, જેને જાણીને તેઓ ઝૂમી ઉઠશે.
આઈપીએલ 2023 શરૂ થવામાં હજી આશરે 6 મહિનાનો સમય છે
IPL 2023ની તૈયારીઓની વચ્ચે એમએસ ધોનીના પ્રશંસકો માટે સારા સમાચાર
એમએસ ધોની આ વખતે પણ સીએસકે માટે રમશે !
આઈપીએલ 2023 શરૂ થવામાં હજી આશરે 6 મહિનાનો સમય
આઈપીએલનો માહોલ ફરીથી બનવાનો શરૂ થયો છે. આઈપીએલ 2023 શરૂ થવામાં હજી આશરે 6 મહિનાનો સમય છે, પરંતુ બીસીસીઆઈને લઇને આઈપીએલ ટીમો તેની તૈયારીમાં જોડાઈ ગઇ છે. ભારતીય ટીમના આશરે બધા ખેલાડી આઈપીએલમાં ફરીથી રમતા દેખાશે. પરંતુ પ્રશંસકો જે ખેલાડીને હવે માત્ર આઈપીએલમાં રમતા જોવે છે તે છે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હવે આઈપીએલ ટીમ સીએસકેના કેપ્ટન એમએસ ધોની. ધોની આજથી આશરે બે વર્ષ પહેલા ભારતીય ટીમમાંથી નિવૃત્તિ લઇ ચૂક્યા છે, પરંતુ આઈપીએલમાં હજી પણ રમી રહ્યાં છે. આ દરમ્યાન સારી વાત એ છે કે આઈપીએલની આ સિઝન ભારતમાં જ થશે, તે હવે પાક્કુ દેખાઈ રહ્યું છે.
એમએસ ધોની આ વખતે પણ સીએસકે માટે રમશે
એમએસ ધોનીએ વર્ષ 2020માં 15 ઓગષ્ટે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. જો કે, આઈપીએલમાં હજી તેઓ રમી રહ્યાં છે. આઈપીએલ 2022ના શરૂ થવાના એક દિવસ પહેલા ધોનીએ સીએસકેની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી અને રવિન્દ્ર જાડેજાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ રવિન્દ્ર જાડેજાનુ કેપ્ટન તરીકે પ્રદર્શન સારું રહ્યું નહીં તો તેમણે કેપ્ટનશિપ છોડી દીધી અને ફરીથી એમએસ ધોની કેપ્ટન બનીને પાછા આવ્યાં. જો કે, ત્યારબાદ પણ ટીમ પર કોઈ ખાસ અસર ના પડી અને ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહીં. થોડા દિવસ પહેલા મહેન્દ્ર સિંહે એવુ પણ કહ્યું હતુ કે તેેઓ પોતાના મેદાનમાં પોતાના પ્રશંસકો વચ્ચે આઈપીએલની છેલ્લી મેચ રમવા માંગે છે. એટલેેકે ચેન્નઈના મેદાન પર.
ચેન્નઈના મેદાનમાં સીએસકે માટે રમશે એમએસ ધોની
ચેન્નઈમાં એમએસ ધોનીને જે પ્રેમ અને સન્માન મળ્યું છે, તેને બધા જાણે છે. જેટલો પ્રેમ તેમને ચેેન્નઈના પ્રશંસકો કરે છે એટલો જ પ્રેમ ધોની પણ ત્યાંના લોકોને કરે છે. થોડા દિવસ પહેલા એવા અહેવાલ સામે આવ્યાં હતા કે બીસીસીઆઈ તૈયારી કરી રહી છે કે આઈપીએલ 2023ની સિઝન ભારતમાં રમાય.