IPL 2023 RCB Vs GT: રવિવારે ગુજરાતના વિરૂદ્ધ હાર બાદ RCB IPL 2023થી બહાર થઈ ગઈ છે. મેચ બાદ કેપ્ટન ફાફે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
ગુજરાત સામે હાર બાદ IPLમાંથી બહાર થયું RCB
મેચ બાદ કેપ્ટન ફાફે આપ્યું ચોંકાવનારૂ નિવેદન
પોતાની જ ટીમ પર ઉઠાવ્યા સવાલ
રવિવારે કરો કે મરોના મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હારની સાથે જ આરસીબીની IPL 2023માં સફર સમાપ્ત થઈ ગયો. મેચના બાદ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પોતાની જ ટીમ પર સવાલ ઉઠાવ્યો. ફાફે જણાવ્યું આખરે કેમ આ સીઝનમાં પણ બેંગ્લોરની ટીમ ટ્રોફી જીતવાથી ચુકી ગઈ.
મેચના કેપ્ટને આપ્યું આ નિવેદન
મેચના બાદ RCB કેપ્ટને જણાવ્યું, "ખૂબ જ નિરાશ છું. આજ રાત અમે ખૂબ જ મજબૂત ટીમની સાથે ઉતર્યા હતા. શુભમન ગિલે શાનદાર સેન્ચુરી લગાવી. બીજી ઈનિંગમાં મેદાન ખૂબ જ ભીનું હતું. પહેલી ઈનિંગમાં પણ મેદાન ભીનુ હતું. અમે બીજી ઈનિંગમાં ઘણી વખત બોલ બદલવો પડ્યો. વિરાટ કોહલીએ અવિશ્વસનીય ઈનિંગ રમી. અમને લાગ્યું હતું કે અમે સારો સ્કોર ઉભો કર્યો હતો. પરંતુ શુભમન ગિલે સારી મેચ રમી અને મેચ અમારાથી દૂર કરી દીધી."
ફાફે આગળ કહ્યું, "બેટિંગની વાત કરીએ તો ટોપ-4એ સારી ઈનિંગ રમી. પરંતુ આખી સીઝન મિડલ ઓર્ડર સારૂ ન કરી શકી. સામાન્ય રીતે ડેથ ઓવર્સ માં. કોહલીએ સંપૂર્ણ સીઝન શાનદાર રમી. કદાચ આખી સીઝન અમે 40થી ઓછાની ઓપનિંગ ભાગીદારી ન કરી. અમે અંતમાં ઈનિંગને સારી રીતે ફિનિશ કરવાની જરૂરત છે."
તેમણે આગળ કહ્યું, "ગયા વર્ષે દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરી હતી અને અંતમાં ન બનાવ્યા હતા. પરંતુ આ સીઝન આ આટલું ન કરી શક્યા અને જો તમે આ ટીમોને જોશો તો સફળત રહ્યા છે તો તેમની પાસે પાંચ અને છ નંબર પર સારી હિટર છે."