IPL 2023: નેધરલેન્ડ્સ અને સાઉથ આફ્રિકાની વચ્ચે થનારી સિરિઝમાંથી શું આઇપીએલ ટીમોને નુક્શાન પહોંચશે અને ક્યા ખેલાડીઓ આઇપીએલની પહેલી મેચ નહીં રમી શકે, વાંચો વિગત
ડેવિડ મિલર- ગુજરાત ટાઇટંસના આ ખેલાડી પોતાની પહેલી મેચ નહીં રમી શકે
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વિરુદ્ધ વન ડે સિરિઝમાં રમશે
દિલ્હી, પંજાબ અને ચેન્નાઈને પણ લાગશે ઝટકો
IPL 2023: ઇન્ડિન પ્રીમિયર લીગની 16મી સિઝનની શરુઆત થવાની જ છે, પરંતુ શરુ થતા પહેલા 6 ટીમોને મોટો ઝટકો લાગવાનો છે. જી, હાં 6 ટીમોમાં કુલ 8 ખેલાડી પહેલી મેચમાંથી જ બહાર થઇ ગયા છે. આ ખેલાડી સાઉથ આફ્રિકાના છે જે પોતાની ટીમ માટે નેધરલેન્ડ વિરુદ્ધ વન ડે સિરિઝમાં રમશે અને આ કારણે તે આઇપીએલની પહેલી મેચથી બહાર જ રહેશે. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના વિરુદ્ધ પોત-પોતાની ફ્રેંચાઇઝીઓમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડ્સ અને સાઉથ આફ્રિકાની વચ્ચે થનારી સિરિઝમાંથી શું આઇપીએલ ટીમોને નુક્શાન પહોંચશે અને ક્યા-ક્યા ખેલાડીઓ આઇપીએલની પહેલી મેચ નહીં રમી શકે.
8 ખેલાડીઓ નહીં રમે પહેલી મેચ
ડેવિડ મિલર- ગુજરાત ટાઇટંસના આ ખેલાડી પોતાની પહેલી મેચ નહીં રમી શકે. આઇપીએલમાં ગુજરાતની ટીમ ચેન્નઇ પહેલા મેચ રમશે અને મિલર આ મેચમાં હાજર નહીં રહે. છેલ્લી સિઝનમાં મિલરે પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા ગુજરાતને ચેમ્પિયન બનાવવામાં યોગદાન આપ્યુ હતું.
ક્વિન્ટન ડિકોકઃ આ લિસ્ટમાં બીજું મોટું નામ ક્વિન્ટન ડિકોકનું છે, જે લખનૌ સુપરજાયન્ટ્સનો મહત્ત્વના ખેલાડી છે. વિકેટકીપિંગ સિવાય ડિકોક ઓપનિંગ પણ કરે છે. એવું માનવામાં આવે છે કે પહેલી મેચમાં તેના ન રમવાના કારણે લખનૌની ટીમ હવે કાઇલ મેયર્સ સાથે ઓપનિંગ કરી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદને સૌથી મોટુ નુકશાન
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને સાઉથ આફ્રિકામાં વનડે સિરીઝમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યુ છે. સનરાઇઝર્સના કેપ્ટન એડન
માર્કરમ જ પહેલી મેચ રમી શકશે નહીં. માર્કો યાનસન અને હેનરિક ક્લાસેન પણ સનરાઇઝર્સ હૈદરાબાદના સભ્યો છે અને તેઓ પણ નેધરલેન્ડ સામેની વનડે સિરીઝ રમશે.
દિલ્હી, પંજાબ અને ચેન્નાઈને પણ લાગશે ઝટકો
દિલ્હી કેપિટલ્સના એનરિક નોરખિયા, પંજાબ કિંગ્સના કાગિસો રબાડા અને ચેન્નાઈ સુપર કિંગ્સના સિસાંદા મગાલાને પણ પહેલી મેચ નહીં રમી શકે. હવે જોવાનું એ રહે છે કે આ ખેલાડીઓની ગેરહાજરી ટીમોને કેટલી અસર કરશે.