BCCI સચિવ જય શાહે 2022 ની IPL અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે IPLની 15 મી સીઝન ભારતમાં જ રમાશે.
2022 ની IPLને લઈને જય શાહની મોટી જાહેરાત
કહ્યું, 2022 ની IPL ભારતમાં જ રમાશે
2022 સીઝન અંગે મોટી નીલામી થશે-જય શાહ
IPL 2022માં ચેન્નઈ સુપર કિંગ્સની જીતની ઉજવણી માટે આયોજિત ધ ચેમ્પિયન કોલ કાર્યક્રમમાં જય શાહે આ જાહેરાત કરી છે. આ પ્રસંગે જય શાહે કહ્યું કે મને ખબર છે કે તમે તમામ ચેપોકમાં ચેન્નઈને રમવા જોવા માટે તલપાપડ છો. એ સમય હવે દૂર નથી. IPLની 15 મી સીઝન ભારતમાં જ રમાશે અને બે નવી ટીમો સામેલ થતાની સાથે પહેલા કરતા વધારે રોમાંચક હશે. જય શાહે કહ્યું કે આ સીઝન અંગે મોટી નીલામી થવાની છે તેથી તે જોવું દિલચસ્પ હશે કે આઈપીએલ માટે નવી ટીમનું સંયોજન કેવું દેખાશે.
15th season of the IPL will take place in India and it will be more exciting with new teams joining. We have a mega auction coming up to see what the new combination looks like: BCCI Secretary Jay Shah
IPL 2021ની સિઝન ભારતમાં શરૂ થઈ હતી, પરંતુ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દ્વારા મોટા પાયે કોરોનાને ચેપ લાગવાને કારણે ટુર્નામેન્ટ અધવચ્ચે રદ કરવામાં આવી હતી. આ પછી યુએઈમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં IPLની બાકીની સિઝન હતી. ફાઇનલમાં ચેન્નઈએ કોલકાતાને હરાવીને ચોથી વાર વિજેતા બન્યું હતું. આ પહેલા કોરોનાના કારણે જ 2020ની આખી આઇપીએલ સિઝન પણ ભારતના બદલે યુએઈમાં રમાઈ હતી.
ઓક્ટોબરમાં થઈ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી
આ વર્ષની શરૂઆતમાં કોરોના મહામારી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પહેલી વાર ભારત પાછું ફર્યું હતું. ઈંગ્લેન્ડ પાંચ ટેસ્ટ, પાંચ ટી-20 અને ત્રણ વન ડે રમવા ભારત આવ્યું હતું. આ વર્ષે ઓક્ટોબરમાં બીસીસીઆઇએ આઇપીએલ 2022ની સિઝનમાં લખનઉ અને અમદાવાદની ફ્રેન્ચાઇઝી ઉમેરી હતી. આઇપીએલની 10 ટીમો 2022ની સિઝનમાં રમશે.