ભારતના ખતરનાક મેચ ફિનિશર ખેલાડીઓમાં સામેલ દિનેશ કાર્તિકે સ્પષ્ટતા કરી છે કે તેની અંદર હજી પણ ક્રિકેટનો જોશ સમાપ્ત થયો નથી અને તે ભારતીય ટીમમાં ફરી એક વખત સ્થાન બનાવવા માંગે છે. 2019 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં હાર મળ્યાં બાદ ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકની વાપસી થઇ નથી.
દિનેશ કાર્તિક ફરી એક વખત ભારતીય ટીમમાં વાપસીની તૈયારીઓમાં લાગી ગયા છે. 36 વર્ષના દિનેશ કાર્તિકે મંગળવારે રાજસ્થાન રૉયલ્સની સામે હારેલી IPL મેચમાં 23 બોલમાં 44 રનની તોફાની ઈનિંગ રમીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને અશક્ય બતાવતી જીત અપાવી. દિનેશ કાર્તિક અત્યાર સુધી 330 ટી-20 મેચ રમી ચૂક્યા છે. દિનેશ કાર્તિકે કહ્યું, હું અલગ રીતે ટ્રેનિંગ કરી રહ્યો છું. હું પોતાની જાતને કહી રહ્યો છુ કે મારી રમત હજી સમાપ્ત થઇ નથી. મારું એક લક્ષ્ય છે અને હું કઈક પ્રાપ્ત કરવા માંગુ છુ.
હજી સમાપ્ત નથી થઈ ક્રિકેટ
દિનેશ કાર્તિક બાકી વધેલા સમયનો ભરપૂર ફાયદો ઉઠાવવા માંગે છે. તે હવે લાલ બોલની ક્રિકેટ રમવા માગતા નથી અને તેમને ખબર છે કે કારકિર્દીના અંતિમ તબક્કામાં ટી-20 તેમના માટે મહત્વપૂર્ણ છે. દિનેશ કાર્તિકે કહ્યું, હું પ્રયાસ કરી રહ્યો છુ કે પોતાની સાથે ન્યાય કરી શકુ. મને લાગે છે કે છેલ્લાં ઘણા વર્ષોમાં હું સારું કામ કરી શકતો હતો.
અશ્વિને કરી ધોલાઈ
દિનેશ કાર્તિક જ્યારે મંગળવારે રાજસ્થાન રૉયલ્સ સામે બેટિંગ કરવા ઉતર્યા ત્યારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને જીતવા માટે પ્રતિ ઓવર 12 રન બનાવવાના હતા. દિનેશ કાર્તિકે તામિલનાડુની ટીમના પોતાના સાથી રવિચંદ્રન અશ્વિનને નિશાન બનાવી ચોગ્ગો ફટકાર્યો અને પછી છ રન બનાવ્યાં. તેમણે ત્યારબાદ આ ઑફ સ્પિનર પર મિડ ઑફ પર ચોગ્ગો ફટકાર્યો અને પછી રિવર્સ સ્વીપથી પણ ચોગ્ગો ફટકાર્યો.