યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધી 40 ઓવર ફેંકી છે. જેમાં તેમણે 7.27ની સરેરાશથી પ્રતિ ઓવર રન આપ્યાં છે અને 15.31ની બોલિંગ એવરેજની સાથે 19 વિકેટ લીધી છે. એટલેકે સરેરાશ 15 રન કર્યા બાદ યુઝવેન્દ્રને એક વિકેટ આવશ્ય પ્રાપ્ત થઇ છે.
પર્પલ કેપ માટે યુઝવેન્દ્રને હવે દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ, પંજાબ કિંગ્સના કગિસો રબાડા અને સનરાઈઝર્સ હૈદ્રાબાદના ટી નટરાજન તરફથી આકરો પડકાર મળી રહ્યો છે. આ ત્રણેય બોલર અત્યાર સુધી 17-17 વિકેટ લઇ ચૂક્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાનિંદુ હસરંગા પણ પર્પલ કેપની આ દોડમાં સામલ છે. તેઓ 16 વિકેટ લઈ ચૂક્યા છે.