પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 15મા સત્રમાં પ્રથમ જીત માટે તરસી રહી છે. શનિવારે પુણેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈને 7 વિકેટથી હરાવ્યું. આઈપીએલ 2022માં રોહિત શર્માની ટીમની આ સતત ચોથી હાર હતી.
આખરે MI સતત કેમ હારી રહી છે, ઈરફાન પઠાને કર્યો ખુલાસો
પૂર્વ ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાને MIનું હારવા પાછળનું આપ્યું કારણ
ચાર મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ પર પ્લેઓફમાં ના પહોંચવાનુ જોખમ મંડરાઈ રહ્યું છે. જો કે, ટીમનો ઈતિહાસ ધીમી શરૂઆત અને બાદમાં વાપસી કરવાનો રહ્યો છે. આવો ચમત્કાર મુંબઈ ઈન્ડિયન્સે 2015માં કર્યો હતો. જો કે, પૂર્વ ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાને મુંબઈમાં વાપસી કરી અને 2015ના કરતબ દોહરાવવાની શક્યતાનો ઈન્કાર કર્યો છે. તેમણે એવી નબળાઈઓ ઉજાગર કરી છે, જેને પગલે ટીમ સતત મેચ હારી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસ પર એક નજર નાખીએ તો અત્યાર સુધી ચાર વખત એવુ થયુ જ્યારે ટીમે સતત ચાર મેચ હારી છે. વર્ષ 2008, 2014, 2015 અને 2022 આ એવુ વર્ષ છે જ્યારે મુંબઈએ સતત ચાર મેચ હારી છે. જેમાંથી 2015 એક વર્ષ એવુ હતુ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 10 માંથી 8 મેચ જીતી પ્લેઓફમાં પહોંચી હતી. ત્યારબાદ ટીમે ખિતાબ પણ તેના નામે કર્યો હતો. પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાનનુ માનવુ છે કે જસપ્રીત બુમરાહનો સાથ આપવા માટે મુંબઈની પાસે બોલિંગ વિકલ્પની કમી છે. તેથી 2022માં આ પ્રકારની વાપસીની શક્યતા ઓછી છે.
ઈરફાન પઠાને કહ્યું, મુંબઈ ઈન્ડિયન્સને ખબર છે કે આ પ્રકારની સ્થિતિથી કેવીરીતે વાપસી કરવાની છે. મુંબઈની ટીમ 2014 અને 2015માં આ ચમત્કાર કરી ચૂકી છે. 2015માં તેમની સ્થિતિ સમાન હતી અને ત્યારે ટીમે વાપસી કરીને ખિતાબ જીત્યો હતો. પરંતુ તે ટીમ થોડી અલગ હતી. આ વર્ષે મુંબઇની પાસે એવો કોઈ બોલર નથી જે બુમરાહને સપોર્ટ કરી શકે. કેપ્ટન રોહિત શર્મા માટે આ મોટો માથાનો દુ:ખાવો છે.