IPL 2022ની ફાઈનલ અમદાવાદમાં રમાશે તેવી જાહેરાત BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી દીધી છે.
IPL 2022ની ફાઈનલના સ્થળને લઈને ગાંગુલીની જાહેરાત
IPL 2022ની ફાઈનલ અમદાવાદમાં રમાશે
દર્શકો સ્ટેડિયમ જઈને નિહાળી શકશે મેચ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ જાહેરાત કરી હતી કે આઇપીએલ 2022ની પ્રથમ પ્લે ઓફ અને એલિમિનેટર મેચ 24 અને 26 મેના રોજ કોલકાતામાં રમાશે, જ્યારે બીજી પ્લે ઓફ અને ફાઇનલ 27 અને 29 મેના રોજ અમદાવાદમાં રમાશે.
IPL 2022 knock-out stage and final will be held in Kolkata and Ahmedabad with 100% capacity.
સ્ટેડિયમમાં દર્શકોને મળશે એન્ટ્રી
ઘણા લાંબા સમય બાદ દર્શકોને સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની તક મળશે. કોરોના કાળમાં દર્શકોની એન્ટ્રી સીમિત કરી દેવાઈ હતી. જોકે પછી 25 ટકા અને ત્યાર બાદ 50 ટકા દર્શકોને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ પહેલી વાર આઈપીએલની ફાઈનલ અને નોકઆઉટ મેચમાં 100 ટકા દર્શકોની હાજરીને મંજૂરી આપવામાં આવી છે.
લખનઉમાં 24 થી 28 મે દરમિયાન યોજાશે મહિલા ચેલેન્જર
મહિલા ચેલેન્જર 24 થી 28 મે દરમિયાન લખનૌમાં યોજાશે.બીસીસીઆઇના પ્રમુખ ગાંગુલીએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, "મહિલા ચેલેન્જર સિરીઝ 24 થી 28 મે દરમિયાન લખનઉના ઇકાના સ્ટેડિયમમાં યોજાશે.
આઈપીએલ નોકઆઉટ કોલકાતા અને અમદાવાદમાં યોજાશે
જ્યાં સુધી મેન્સ આઈપીએલ નોકઆઉટ તબક્કાની મેચોની વાત છે, તે કોલકાતા અને અમદાવાદમાં યોજાશે. તે 22 મેના રોજ લીગ તબક્કાના સમાપન પછી રમાનારી મેચો માટે પ્રેક્ષકોની 100 ટકા હાજરીની મંજૂરી આપશે.