દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાની આગામી મેચ માટે પુણે જઈ શકશે નહીં. ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટ કોરોના સંક્રમિત થયા બાદ વધું એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
IPLમાં વધું એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થયો
અગાઉ ફિઝિયો પણ થયા હતા સંક્રમિત
દિલ્હી કેપિટલ્સની આખી ટીમ થઈ ક્વોરન્ટાઈન
દિલ્હી કેપિટલ્સની ટીમ પોતાની આગામી મેચ રમવા માટે પુણે જઈ શકશે નહીં. ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટ કોરોના સંક્રમિત થયા બાદ વધું એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ આખી ટીમને કોરન્ટાઈન કરવી પડી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર તેને લઈને દિલ્હીની આગામી મેચ માટે પુણેનો પ્રવાસ રદ કરવો પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર જોઈએ તો, દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને પોતાના રૂમમાં જ છે અને 2 દિવસ ડોર ટૂ ડોર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
ફિઝિયો બાદ એક ખેલાડી કોરોનાથી સંક્રમિત
ફિઝિયો કોરોના સંક્રમિત થયા બાદ રેપિટ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક ખેલાડી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સે પોતાના આગામી મેચ 20 એપ્રિલે પંજાબ કિંગ્સ વિરુદ્ધ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની હતી. આ મેચ માટે ટીમને 18 એપ્રિલે પુણે જવા માટે રવાના થવાનું હતું. પણ કોરોનાના અટેક બાદ તેમને હોટલમાં જ રોકાઈ રહેવું પડશે.
BCCIએ કહી હતી આ વાત
BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર જેનો પણ રિપોર્ટ કાલે નેગેટિવ આવ્યો છે તે પુણે જશે, તો વળી એક રિપોર્ટ અનુસાર રોયલ ચેલેંજર્સ બેંગલોરની સાથે મેચ દરમિયાન બીસીસીઆઈએ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને આરસીબી સાથે હાથ મિલાવાની ના પાડી હતી. ગત વર્ષે કોરોનાએ આઈપીએલને ખૂબ જ પ્રભાવિત કરી હતી. કોરોનાના કારણે આઈપીએલ 2021નુ આયોજન બે તબક્કામાં કરવું પડ્યું હતું.