આઈપીએલ 2022માંથી મોટી ખબર આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે ટીમ છોડી દીધી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે તેમને આઈપીએલ 2021માં કેપ્ટન પદ પરથી હટાવી દીધા હતા. તે ઉપરાંત તેમને ઘણી મેચોમાં પ્લેઈંગ-11મા પણ જગ્યા ન હતી મળી રહી. વોર્નરે કહ્યું કે ટીમે મારો સાથ છોડ્યો હતો. હવે હું મારૂ નામ ઓક્શનમાં આપીશ.
મહત્વનું છે કે આઈપીએલ ઉપરાંત સીઝનથી 8ની જગ્યા 10 ટીમો ઉતરશે. લખનઉ અને અમદાવાદ 2 નવી ટીમો લીગ સાથે જોડાઈ ગઈ છે. 60ની જગ્યા પર 74 મુકાબલા થશે.
David Warner confirms he will go into IPL mega auction for next season
એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા ડેવિડ વોર્નરે કહ્યું, "હું પોતાનું નામ ઓક્શનમાં આપશ. હાલના સંકેતોમાં લાગી રહ્યું છે કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ મને રીટેન નહીં કરે. માટે હું નવી શરૂઆતની આશા રાખી રહ્યો છું. " વોર્નરની કેપ્ટનશીપમાં હૈદરાબાદે 2016માં આઈપીએલની ટ્રોફી જીતી હતી. તે 8 સીઝનમાં ટીમની સાથે રહ્યા. તે ટી 20 લીગમાં સૌથી વધુ રન બનાવનાર વિદેશી બેટ્સમેન પણ છે.
યુએઈમાં ફક્ત 2 મેચમાં મળ્યો મોકો
આઈપીએલ 2021ના બીજી ચરણની મેચો યુએઈમાં રમવામાં આવી હતી. પરંતુ આ સમયે ડેવિડ વોર્નરને ફક્ત 2 મેચમાં જ રમવાનો મોકો મળ્યો હતો. 6 મેચમાં તે ટીમથી બહાર થઈ ગયા. તેના પર ડેવિડ વોર્નરે કહ્યું કે આ મારા માટે મુશ્કેલ દિવસ હતા. જોકે આ મારા માટે સમજની બહાર હતું કે મને કેમ બહાર કરવામાં આવ્યો. જોકે વોર્નર ટી20 વર્લ્ડ કપમાં પણ સારી શરૂઆત ન હતા કરી શક્યા.