ઈન્ડિયન પ્રીમિયર લીગ એક એવો મંચ છે, જ્યાં યુવાન ખેલાડીઓને તેનુ કૌશલ બતાવવાની તક મળે છે. થોડુ આ પ્રકારનુ પ્રદર્શન ચેન્નઈ સુપર કિંગ્સના બોલર મુકેશ ચૌધરી કરી રહ્યાં છે. જેણે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 વિકેટ લીધી છે.
મહેન્દ્ર સિંહ ધોની તેમના બોલર મુકેશ ચૌધરી પર ભડક્યા
ત્યારબાદ રવિવારે સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામે એક મેચમાં 4 વિકેટ લીધી અને અત્યાર સુધીના સૌથી સફળ અનકેપ્ડ પ્લેયર બન્યા છે. જો કે, રવિવારની આ મેચમાં ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મુકેશ ચૌધરી પર ગુસ્સો કર્યો અને તેનાથી નારાજ થયા. આવો તમને જણાવીએ કે આખરે ધોનીને તેના સૌથી સફળ બોલર પર કેમ ગુસ્સો આવ્યો. સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચેની મેચમાં હૈદ્રાબાદને છેલ્લી ઓવરમાં 38 રનની જરૂર હતી. એવામાં ધોનીએ મુકેશ ચૌધરી પર વિશ્વાસ દર્શાવ્યો અને તેને બોલિંગ કરવા માટે મોકલ્યો. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદ્રાબાદના ખેલાડી નિકોલસ પૂરનને 20મી ઓવરના બીજા બોલમાં 10 રન આપ્યાં. ત્યારબાદ મુકેશે કઈક અલગ કરવાનુ વિચાર્યુ. પરંતુ કઈક અલગ કરવાના ચક્કરમાં તેણે વાઈડ બોલ નાખી દીધો. ત્યારબાદ સ્ટમ્પની પાછળ ઉભા રહેલા કેપ્ટન અને વિકેટકીપર એમએસ ધોની ગુસ્સામાં દેખાયા અને તેમણે એન્ગ્રી લુક આપ્યો.
કોણ છે મુકેશ ચૌધરી?
આઈપીએલ 2022માં ધોનીના ધુરંધર મુકેશ ચૌધરી શાનદાર ભૂમિકામાં જોવા મળ્યાં છે. પહેલા મુકેશ ચૌધરીએ મુંબઈ ઈન્ડિયન્સની સામે 3 વિકેટ લીધી અને હવે સનરાઈઝર્સ હૈદ્રાબાદની સામે ચાર વિકેટ લઇને તેમને સીએસકેની જીતમાં મહત્વનો રોલ નિભાવ્યો. મુકેશ ચૌધરીનો રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના પરદોદાસ ગામમાં જન્મ થયો છે. બોર્ડિગ સ્કૂલમાં રહીને તેમણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે તેના માતા-પિતાને ખબર નહોતી કે તેઓ ક્રિકેટ રમે છે. પરંતુ જ્યારે એકવાર અખબારમાં તેમનુ નામ સામે આવ્યું ત્યારે તેના પિતાને ખબર પડી કે તેઓ ક્રિકેટ રમે છે. એવામાં તેના પિતાએ કહ્યું કે સારું છે, પરંતુ અભ્યાસ ચાલુ રાખો. જેના 2 વર્ષ બાદ તેમણે રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે ડેબ્યુ કર્યુ. મુકેશે અત્યાર સુધી તેની ક્રિકેટ કારકિર્દીમાં 13 ફર્સ્ટ ક્લાસ અને 12 લિસ્ટ-એ મેચ રમી છે. આ સાથે તેમણે 12 ડોમેસ્ટિક ટી-20 મેચ રમી છે. વર્ષ 2021માં વિજય હજારે ટ્રોફીમાં મુકેશ સૌથી વધુ વિકેટ લઇને ચર્ચામાં આવ્યાં હતા.