2018 બાદ ટી 20 લીગમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની નહોતી થતી, પણ આ વર્ષે બોર્ડે ક્લોઝિંગ સેરેમની આયોજીત કરવાનો નિર્ણય લીધો છે.
આઈપીએલ 2022 માટે ક્લોઝિંગ સેરેમનીનું થશે આયોજન
કોરોનાના કારણે ઓપનિંગ સેરેમની નહોતી થઈ
બીસીસીઆઈએ તેના માટે ટેન્ડર બહાર પાડ્યું
આઈપીએલ 2022ની ટૂર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થઈ ચુકી છે. ટી 20 લીગમાં કુલ 10 ટીમો ઉતરી રહી છે. ફાઈનલ મેચ 29 મેના રોજ થવાની છે. 2018 બાદ ટી 20 લીગમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની નહોતી થતી, પણ આ વર્ષે બોર્ડે ક્લોઝિંગ સેરેમની આયોજીત કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે તેના માટે ટેન્ડર પર મગાવ્યું છે. કોરોનાના કારણે જો કે, હાલની સિઝનમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. આ વખતે ગુજરાત ટાઈટંસ અને લખનઉ સુપર જાયંટ્સ તરીકે 2 નવી ટીમો ઉતરી રહી છે. આ વખતે કુલ 60ની જગ્યાએ 74 મેચ રમાશે.
IPL 2022 will end with the closing ceremony this year, after three years IPL will have a closing ceremony
બોર્ડ સચિવ જય શાહ તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, ક્લોઝિંગ સેરેમનીથી સંબંધિત ડોક્યુમેંટ 25 એપ્રિલ સુધી રમાશે. તેના માટે એક લાખ રૂપિયાનો ચાર્જ રાખવામા આવ્યો છે. ટેન્ડરમાં શામેલ થનારી પાર્ટી બીસીસીઆઈને ઈમેલ દ્વારા આ સંબંધમાં માહિતી આપી શકે છે. જો કે, અત્યાર સુધી આઈપીએલની ફાઈનલ મેચનું વેન્યૂ ઘોષિત કરવામાં આવ્યું નથી. પણ તેને ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની સંભાવના છે.
પુલવામા હુમલાના કારણે રદ થયો હતો કાર્યક્રમ
2019માં પહેલી વાર આઈપીએલની ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો, પુલવામાં થયેલા આતંકી હુમલાના કારણે આવું કરવામાં આવ્યું હતું. બોર્ડે આ પૈસા શહીદ થયેલા જવાનોના પરિવારને આપવાનો નિર્ણય કર્યો હતો. 2020 અને 2021માં કોરોનાના કારણે ફેન્સ વગર જ મેચ રમાઈ હતી. હાલની સિઝનની વાત કરીએ તો, ભેલ 4 વેન્યૂ પર લીગ રાઉંડ રમાતી હોય, પણ 25 ટકા ફેન્સને જ મંજૂરી આપવામા આવી છે.