ઓસ્ટ્રેલિયન ધુરંધર ડેવિડ વોર્નર હેરાન છે કે સનરાઈઝર્સ હૈદ્રાબાદના મેનેજમેન્ટે તેમને કેપ્ટનશીપ પદેથી હટાવવાનું કારણ જણાવ્યું નથી. આ સ્ટાર બેટ્સમેને દાવો કર્યો કે સનરાઈઝર્સ ફ્રેન્ચાઈજીએ આઈપીએલની વર્તમાન સિઝનમાં તેમને સુકાનીપદેથી હટાવવાનું કોઈ કારણ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે, ફોર્મના આધારે નિર્ણય લેવામા આવ્યો તો આ નિરાશાજનક છે.
સનરાઈઝર્સમાંથી મને કેપ્ટનપદેથી હટાવાયો, જે ખૂબ જ નિરાશાજનક
ફોર્મના આધારે નિર્ણય લેવામા આવ્યો. જે ખૂબ નિરાશાજનક
સનરાઈઝર્સના પ્રદર્શનમાં કોઈ ફેરફાર આવ્યો નથી
ડેવિડ વોર્નરે કહ્યું કે તેઓ આગળ પણ સનરાઈઝર્સ માટે રમશે. મહત્વનું છે કે, વોર્નરને આઈપીએલ-14ના પ્રથમ તબક્કામાં કેપ્ટનપદેથી હટાવી ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને સનરાઈઝર્સની કમાન સોંપવામાં આવી હતી. વોર્નરને છેલ્લી કેટલીક મેચોમાં તો ટીમમાં સ્થાન પણ આપ્યું નથી. પરંતુ કેપ્ટનપદેથી હટ્યા બાદ સનરાઈઝર્સના પ્રદર્શનમાં કોઈ ફેરફાર આવ્યો નથી. આઈપીએલના પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ સૌથી નીચે રહી છે. આ ટીમે 14માંથી 11 મેચમાં હાર મેળવી છે.
ફોર્મના આધારે નિર્ણય લેવાયો, જે ખૂબ કપરો: ડેવિડ વોર્નર
વોર્નરે એક અગ્રગણ્ય વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું, ટીમ માલિકો, ટ્રેવર બેલિસ, લક્ષ્મણ, મૂડી અને મુરલી પ્રત્યે સન્માન સાથે હું કહુ છુ કે કોઈ પણ નિર્ણય સર્વસંમતિથી થાય છે. મારા માટે આ વાંધાજનક બાબત છે કે મને જણાવવામાં આવ્યું નથી કે કેપ્ટનપદેથી મને કેમ હટાવવામાં આવ્યો? ફોર્મના આધારે નિર્ણય લેવામાં આવ્યો જે ખૂબ જ કપરૂ છે. કારણકે પહેલાંના પ્રદર્શનની અવગણના કરી શકાય નહીં.
સુકાનીપદેથી હટાવાયો, જેનો સ્વીકાર કરવો ખૂબ મુશ્કેલ: વોર્નર
ડેવિડ વોર્નરે વધુમાં કહ્યું કે, મને સુકાનીપદેથી હટાવવામાં આવ્યો, જેનો સ્વીકાર કરવો મારા માટે ખૂબ મુશ્કેલ હતો. પરંતુ તેઓ આગળ વધવા માંગતા હતા. ખાસ કરીને તમે ટીમ માટે 100 મેચ રમ્યા હોય. મને લાગે છે કે ચેન્નઈમાં પહેલી 5 થી 4 મેચોમાં કંગાળ પ્રદર્શન રહ્યું. મારા કેટલાંક સવાલ છે, જે મને લાગે છે કે તેના જવાબ ક્યારેય મળશે નહીં.