સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર પણ આ આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે, 21 વર્ષીય અર્જુનને નીલામીમાં મુંબઈ દ્વારા સૌથી છેલ્લે 20 લાખમાં ખરીદવામાં આવ્યો હતો.
સચિનની પુત્રી સારા આવી ભાઈના સમર્થનમાં
અર્જુન તેંડુલકરને લઈને ટ્રોલર્સને આપ્યો જવાબ
બહેને ભાઈ માટે કહ્યું,'તારા પર ગર્વ છે'
સોશિયલ મીડિયામાં અર્જુનને 20 લાખની બેઝ પ્રાઈઝમાં મુંબઈ દ્વારા ખરીદવામાં આવ્યા બાદ અર્જુનની ઘણી ટીકા કરવામાં આવી રહી છે, જો કે આ મુદ્દે ઘણા લોકો સોશિયલ મીડિયામાં તેને તેંડુલકર સરનેમના લીધે ખરીદવામાં આવ્યો હોવાની ટીકા કરી રહયા છે.
કોઈ તારી આ સફળતા નહીં છીનવી શકે : સારા
જો કે આ ટ્રોલર્સને અર્જુનની બહેન સારા તેંડુલકર દ્વારા ખૂબ જ સચોટ જવાબ આપવામાં આવ્યો છે જેમાં તેણે કહ્યું છે કે કોઈ પણ તારાથી આ સફળતા નહીં છીનવી શકે, આ બિલકુલ તારી જ છે, મને તારા પર ગર્વ છે.
નોંધનિય છે કે છેલ્લી બે ત્રણ સીઝનથી અર્જુન આ ફ્રેન્ચાઇઝી માટે નેટ બોલર તરીકે પણ રહયા છે, જો કે હવે તેણે મુંબઈની ટીમ માટે પદાર્પણ કર્યું છે, આ પહેલા તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણાની સામે રમ્યા હતા, આ મુદ્દે અર્જુન તેંડુલકર દ્વારા એક વિડીયો સંદેશ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો.
ટ્રોલર્સના નિશાના પર હતો અર્જુન તેંડુલકર
મહત્વનું છે કે આ સચિન તેંડુલકર પણ પહેલા મુંબઈ માટે જ આઇપીએલમાં રમતા હતા અને પછી તે અમુક સીઝન સુધી સપોર્ટ સ્ટાફમાં પણ જોડાયા હતા, અને અંબાણી પરિવાર સાથે સચિન તેંડુલકર પરિવારના ઘણા નજીકના સંબંધો રહયા છે, જેને લઈને પણ ટ્રોલર્સ આવી કોમેન્ટ કરી રહયા હોવાનું સંભવ છે.
જો કે આ મુદ્દે મુંબઈના કોચ મહેલા જયવર્દનેએ કહ્યું હતું કે સૌભાગ્યવશ અર્જુન એક બોલર છે, માટે તેની પર સચિનના પુત્ર તરીકેનું પ્રદર્શન કરવાનું પ્રેશર રહેશે પણ તે સચિનની જેમ બેટ્સમેન નથી તે સારું છે, અર્જુનને તેની કાબેલિયતના ધોરણે સિલેકટ કરવામાં આવ્યો છે, અને અમે ઈચ્છીએ છીએ કે તેના પર પ્રેશર ન નાખવામાં આવે, તેને સમય આપવામાં આવે, જેનાથી તે તેના કામ પર ફોકસ કરી શકે.