પોતાના લેખનની શૈલીને લીધે જેમણે દેશવટો વેઠવો પડ્યો તે વિવાદિત લેખિકા તસલીમા નસરીને તાજેતરમાં વધુ એક વિવાદિત નિવેદન આપ્યું હતું.
વિવાદિત લેખિકા તસ્લીમા નસરીનનું નિવેદન
બાંગ્લાદેશના વિવાદિત લેખિકા છે નસરીન
સ્વીડનની નાગરિકતા ધરાવે છે તસ્લીમા નસરીન
સ્વીડનની નાગરિકતા સ્વીકારી ચૂકેલી તસ્લીમા નસરીન આજકાલ પોતાના એક નિવેદનને લઈને વધુ એક વાર ચર્ચામાં છે, મહત્વનું છે કે આ વખતે તેમણે ઈંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અલીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે જો મોઈન અલી ક્રિકેટની સાથે વ્યસ્ત ન હોત તો તે સીરિયા જઈને આતંકી બની જાત.
What a crap comment! Judge Moeen for his on field achievement! Applaud or criticize him for his cricketing performance. But don’t behave like a bigot & abuse him for his beard or for his looks!
મહત્વનું છે કે મોઈન અલી આ વખતે IPL 2021 માં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ તરફથી રમવાનો છે, વચ્ચે એક એવી જાણકારી બહાર આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે CSK ની જર્સી પરથી મોઈને બીયરનો લોગો હટાવવાની વાત કરી હતી. જો કે ટીમના સીઇઓ કાશી વિશ્વનાથને કહ્યું હતું કે મોઈન અલીએ આવી કોઈ પણ માંગણી નથી કરી.
Reporting this tweet for spreading violent and hatred. Kindly respect personal choices untill it affects you as an individual.
Mam,if it doesn't affects you at any level then refrain commenting or feeding them.We look upto you for your talent, don't let it take you down. Sigh!!
આ ટ્વિટને લઈને જો કે તસ્લીમા નસરીનને યુઝર્સ ઘણું સંભળાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આવી કોમેન્ટ કરવી તે સહનશક્તિની બહાર છે અને કોઈ યુઝર્સે કહ્યું કે તેમણે ખેલાડીને તેના ફિલ્ડ અચિવમેન્ટથી જજ કરવાની સલાહ આપી હતી.
નોંધનીય છે કે IPL 2020 માં મોઈન અલી RCB ટીમનો ભાગ હતા પણ મીની ઓક્શનના સમયે RCB એ તેમને રીલીઝ કરી દીધા હતા, IPL 2021 માં CSK એ 7 કરોડમાં તેમને ખરીદ્યા છે.