ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 13માં બધાને ચોંકાવતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાની શાનદાર શરૂઆતમાં જ 3 મેચ જીતી લીધી છે. જોકે, કેપ્ટન વિરાટ કોહલી માટે શરૂઆતની 3 મેચ એટલી સારી રહી નહીં અને તે 29 બોલમાં 18 જ રન બનાવી શક્યો. પરંતુ ચોથી મેચમાં કોહલીએશાનદાર વાપસી કરી છે. રાજસ્થાન સામે કોહલીએ 53 બોલમાં 72 રનની ઈનિંગ રમ્યા બાદ ટીમને 8 વિકેટથી જીત અપાવી. કોહલીએ તેની આ ઈનિંગની ટીકા કરનારાઓનું મોં પણ બંધ કરી દીધું.
વિરાટ કોહલી આઈપીએલમાં ખરાબ પ્રદર્શનને કારણે નિશાના પર
કોહલીએ કહ્યું-હું આ રમતથી નફરત કરું છું
વિરાટ કોહલી 3 મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યું
વિરાટ કોહલી 3 મેચોમાં ખરાબ પ્રદર્શને કરવાને કારણે નિશાના પર હતો. વિરાટે રાજસ્થાન રોયલ્સ સામે સારાં પ્રદર્શન બાદ પોતાનું દુઃખ વર્ણવ્યુ છે. વિરાટે કહ્યું - હું આ રમતને પ્રેમ કરું છું અને આ રમતને નફરત પણ કરું છું.
વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સના ખેલાડી જોસ બટલરને કહ્યું કે, તને વિચિત્ર લાગી શકે છે, મને આ રમતથી પ્રેમ પણ છે અને નફરત પણ. વિરાટે આગળ કહ્યું- તમારે એક ખેલાડી તરીકે સમજવું જોઇએ જ્યારે તમે ક્રિકેટ રમો છો તો ઘણીવાર તમે જે કરવા ઇચ્છો છો તે તમારા હાથમાં હોતું નથી. તમે સારું પ્રદર્શન ન કરવા પર નિરાશ થઈ જાઓ છો.
ટીમના કોચ સાયમન કેટિચ વિરાટના ફોર્મને લઈને ચિંતિત નહોતા, કેટિચે કહ્યું કે, જે રીતે વિરાટ રમે છે, આપણે વિચારી નથી શકતા કે વિરાટ ફોર્મમાં નથી અમે નેટ પર જોયું તે સારા ફોર્મમાં હતો, પણ તે મોટી ઇનિંગ ના રમી શક્યો, ટી20 ક્રિકેટમાં આવુ થાય છે. વિરાટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે સારી શરૂઆત કર્યા બાદ તેનો ઈરાદો હવે રિલેક્સ કરવાનો નનથી. વિરાટે કહ્યું કે તમે આ ટૂર્નામેન્ટમાં રિલેક્સ ન કરી શકો, કારણ કે આવું કરવા પર તમે પાછળ રહી જશો. તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં આરસીબીનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું. જોકે, આ વર્ષે આરસીબીએ શરૂઆતમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.