ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 માં ભલે નવી ટીમ સામેલ કરવામાં આવેલ ન હોય પરંતુ કેટલાક નવા શહેરોમાં મેચનું આયોજન કરવામાં આવી શકે છે. મંગળવારના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી IPL ની આઠ ફ્રેંન્ચાઇઝઈ ટીમોના માલિક સાથે આગામી ટૂંકા સમયગાળામાં મુલાકાત કરવાના છે. આ મુલાકાત મુંબઈમાં યોજવામાં આવશે જ્યાં 3 નવા શહેરોમાં મેચ યોજવા અંગેનો નિર્ણય કરવામાં આવી શકે છે.
IPL 2020 પહેલા થઇ શકે મોટું એલાન
નવા શહેરોમાં યોજાઇ શકે છે મેચ
ખાનગી સમાચાર એજન્સી સાથે વાત કરતા BCCI ના એક ઉચ્ચ અધિકારીએ આ વાત અંગેની જાણકારી આપી હતી કે, ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ ત્રણ એવા શહેર જ્યાં IPL ની મેચ યોજાવાના ચર્ચાએ જોર પકડ્યું છે. કિંગ્સ ઇલેવન પંજાબ લખનઉ અને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવવા ઇચ્છે છે. તો રાજસ્થાન રોયલ્સની ટીમ અમદાવાદની જગ્યાએ ગુવાહાટીમાં ફિફ્ટ થવાનું ઇચ્છે છે.
રાજસ્થાનની ટીમ અમદાવાદને બદલે ત્રિવેન્દ્રમમાં રમી શકે મેચ
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ત્રિવેન્દ્રમ કઇ ટીમનું હોમગ્રાઉન્ડ હશે તેને લઇને હાલ કોઇ જ નિર્ણય લઇ શકાય તેમ નથી. રાજસ્થાનની ટીમે પોતાના બીજા હોમગ્રાઉન્ડને અમદાવાદની જગ્યાએ ગુવાહાટી શિફ્ટ કરવાની માગણી કરી છે. જો જેનલર કમિટી આ વાતને લઇને સહમત થાય.
ઉલ્લેખનીય છે કે, BCCI ના અધિકારીએ જણાવ્યું કે, ગત સીઝનમાં જ કિંગ્સ ઇલેવન પંજાબની ફ્રેન્ચાઇઝી ટીમ લખનઉમાં જવાની તૈયારીમાં હતી. તે આ વાત અંગેનો ઉલ્લેખ પણ કરી ચૂક્યા છે. પરંતુ સ્થળ સ્થળાંતર કરવામાં વિલંબ કરવામાં ચૂંટણી મહત્વની ભૂમિકા ભજવે છે.
અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટઇંડિઝ વચ્ચે રમાયેલ મેચને લઇને ખુશ છું. હવે આ સ્થળ પંજાબના બીજા હોમ ગ્રાઉન્ડમાં થઇ શકે છે. આ પહેલા તે પંજાબના IAS બિંદ્રા સ્ટેડિયમ મોહાલી અને ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમત અને બીજું હોમગ્રાઉન્ડની રીતે રમશે.