હૈદરાબાદની ટીમે ચેન્નઈની સામે 165 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો
ચેન્નઈને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો
આ મેચમાં ઉતરતા જ ચેન્નઇના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઇપીએલમાં સૌથી વધુ 194 મેચ રમનારા ક્રિકેટર બની ગયા. તેમણે ચેન્નઈની ટીમના જ સુરેશ રૈનાને માત આપી જે અંગત કારણોને લઇને આઇપીએલ નથી રમી રહ્યા. મહત્વનું છે કે, ચેન્નઈને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ધોનીની ટીમ માટે ચાર મેચમાં આ ત્રીજી હાર છે.
ધોની-જાડેજાએ મળીને 72 રન બનાવ્યા
મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાએ મળીને 72 રનની ભાગીદારી નોંધાવી. આ દરમિયાન જાડેજાએ 35 બોલ પર 50 રન બનાવ્યા પરંતુ નટરાજનના બોલ પર કેચ આઉટ થઇ ગયા. ધોની અને જાડેજાની મહેનત કામ ન લાગી.
ગર્ગ અને અભિષેકે 77 રનની ભાગીદારી નોંધાવી
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર નિષ્ફળ રહ્યા બાદ ગર્ગ અણનમ 51 અને અભિષેક 31 રન બનાવીને 5મી વિકેટ માટે 77 રનની ભાગીદારી નોંધાવી. સનરાઇઝર્સે અંતિમ 4 ઓવરમાં 53 રન લગાવ્યા. છેલ્લી ઓવરમાં ચેન્નઈની ઢીલી ફીલ્ડિંગનો પણ ફાયદો સનરાઇઝર્સને મળ્યો. ચેન્નઈએ અભિષેક શર્માને 2 વખત જીવનદાન આપ્યું.
શરૂઆતની મેચોમાં સંઘર્ષ કરતી નજરે આવેલી ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઇની ટીમમાં અંબતિ રાયડૂ, ડ્વેન બ્રાવો અને શાર્દુલ ઠાકુરને આ મેચમાં જગ્યા મળી. ચેન્નઇએ છેલ્લી મેચ એક અઠવાડિયા પહેલા રમી હતી અને બ્રેક બાદ તેમને બોલરો ઘણા સ્ફૂર્તિમાં નજરે આવ્યા. દીપક ચાહરે 31 રન આપીને 2 વિકેટ ઝડપી લીધી જ્યારે સૈમ કુરૈને પણ સારી બોલિંગ કરી હતી.