આઈપીએલની આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ કઈ ખાસ કમાલ કરી શકી નથી અને હવે આ ટીમની વાપસી થાય તેવી શક્યતાઓ લાગી રહી નથી ત્યારે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આપેલા નિવેદનની ખૂબ ચર્ચા થઇ રહી છે.
ચેન્નઈની ટીમનો સતત સાતમો કારમો પરાજય
મેચ હાર્યા બાદ ધોનીએ આપ્યું મોટું નિવેદન
ધોનીએ આપેલા નિવેદનની સોશ્યલ મીડિયામાં ચર્ચા
ચેન્નઈ સુપર કિંગ્સે સોમવારે સતત સાતમીવાર હારનો સામનો કરવો પડ્યો અને તે બાદ હવે પ્લેઓફની રેસમાંથી બહાર દેખાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ ધોનીએ એવી બે વાત કહી દીધી જેની કોઈને આશા ન હતી.
ઘણા બધા ચાહકો આંકડાઓનું ગણિત જોઇને કહી રહ્યા છે કે હજુ પણ શક્યતા છે કે ચેન્નઈની ટીમ પ્લેઓફમાં આવી શકે તેમ છે પરંતુ લાગી રહ્યું છે કે ધોની હવે હાર માની ચુક્યા છે. મેચ બાદ ધોનીએ પોતે કહ્યું કે આ સીઝનમાં અમે અમારી રીતે નથી રમી રહ્યા.
સતત મળી રહેલી હાર બાદ પણ ધોની ટીમમાં ફેરફાર કરવા માંગતા નથી કારણ કે ધોનીએ કહ્યું કે ટીમમાં વધારે ફેરફાર નથી ઈચ્છતા કારણ કે ત્રણ-ચાર-પાંચ મેચ બાદ કોઈ ચીજવસ્તુને લઈને સુનિશ્ચિત ન થઇ શકાય. હું ટીમમાં અસુરક્ષાનો ભાવ નથી ઈચ્છતો.
ધોનીએ યુવાન ખેલાડીઓ માટે જે નિવેદન આપ્યું તે કદાચ પહેલા કોઈ ખેલાડી માટે આપ્યું નહીં હોય. યુવાનોને ટીમમાં તક ન આપવાના મુદ્દે ધોનીએ કહ્યું કે આ વાત સાચી છે કે આ વખતે એટલી તકો આપવામાં આવી નથી. એવું પણ હોઈ શકે છે અમને પોતાના યુવાનોમાં તે જુસ્સો દેખાયો જ ન હોય. અમે તેમને આગળ તક આપી શકીએ છે અને તે કોઈ દબાણ વગર રમી શકે છે.