વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ આ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી ખરાબ રીતે ફ્લોપ રહી છે. અત્યાર સુધી ટીમે કુલ ચાર સ્પર્ધા રમી છે અને તમામમાં એને હાર મળી છે. ટીમની આવી સ્થિતિ કેમ છે એની પર પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પોતાનું મંતવ્ય આપ્યું. આટલું જ નહીં ગાવસ્કરે વિરાટની ટીમને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સથી સિખ લેવાની સલાહ આપી છે.
એક રિપોર્ટ અનુસાર ગાવસ્કરે કહે છે કે બેંગ્લોરે ચેન્નાઇથી સીખ લેવી જોઇએ. જેમ કે ચેન્નાઇને મુંબઇએ ગત મેચમાં ભલે હરાવી દીધી હોય પરંતુ આજે ધોનીની ટીમ જાણે છે કે એને નીચે પડીને પાછા ઊભા કેવી રીતે થવાનું છે. આ કળા વિરાટની ટીમે પણ શીખવી જોઇએ.
ગાવસ્કરનું માનીએ તો આરસીબીના ફ્લૉપ શો નું કારણ ટૉપ બે બેટ્સમેન પર જરરૂયાત કરતા વધારે નિર્ભર થવું પણ છે.