તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે દર્શકોની નજર છે 'દે ધનાધન ક્રિકેટ' IPLની ૧૨મી સિઝન પર, જ્યાં ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં રમાનારા આગામી વર્લ્ડકપ પહેલાં ટીમમાં સામેલ થવા માટે પોતાની દાવેદારી રજૂ કરશે.
દુનિયાભરમાં જેના કરોડો ક્રિકેટ ચાહકો છે એવી ગ્લેમરથી ભરપૂર IPLનો પ્રારંભ આવતી કાલે રાત્રે ૮.૦૦ વાગ્યે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમ ખાતે થશે. ઉદ્ઘાટન મેચમાં યજમાન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટકરાશે.
સીએસકેનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે, જ્યારે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી છે. IPLની આઠ ટીમના યોદ્ધાઓ આ પ્રતિષ્ઠિ લીગની ટ્રોફી જીતવા માટે રણમેદાનમાં ઊતરશે. સામાન્ય રીતે દર વર્ષે IPLની ઓપનિંગ સેરેમની ધૂમધડાકા સાથે ઊજવાતી હોય છે.
પરંતુ આ વખતે આતંકવાદીઓએ પુલવામા ખાતે ભારતીય સૈનિકો ઉપર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં અનેક જવાન શહીદ થયા હોવાથી BCCIએ IPL સેરેમની રદ કરી દીધી છે. આના કારણે ખર્ચ થતા બચેલી રૂ. ૨૦ કરોડની રકમ BCCI શહીદ જવાનોના પરિવારને ડોનેટ કરી દેશે. આને કારણે સીધી ઉદ્ઘાટન મેચ જ રમાશે.
આજે દરેક ટીમના ખેલાડીઓ પર એક નજર કરીએઃ • ચેન્નઈ સુપર કિંગ્સઃ
એમ. એસ. ધોની (કેપ્ટન), સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, મુરલી વિજય, રવીન્દ્ર જાડેજા, સેમ બિલિંગ્સ, મિચેલ સેન્ટનર, ડેવિડ વિલી, ડ્વેન બ્રાવો, શેન વોટસન, ઇમરાન તાહિર, કેદાર જાધવ, અંબાતી રાયડુ, હરભજનસિંહ, દીપક ચહર, કે. એમ. આસિફ, કર્ણ શર્મા, ધ્રુવ શૌરી, એન. જગદીશન, શાર્દુલ ઠાકુર, મોનુકુમાર, ચૈતન્ય વિશ્નોઇ, મોહિત શર્મા, ઋૃતુરાજ ગાયકવાડ. લૂંગી એન્ગિડી ઈજાગ્રસ્ત થવાને કારણે IPLની બહાર થઈ ગયો છે, તેના વિકલ્પની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.