ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી ક્રિકેટની દુનિયાની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ શરૂ થશે. જોકે હાલમાં ટીમ ઇન્ડિયાના 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી નથી, જેની પાછળનુ કારણ IPLમાં આ ખિલાડીઓનુ પરફૉર્મન્સ. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદના પહેલા જ કહી ચૂક્યા છે કે, ''T-20 ટૂર્નામેન્ટ રમી રહેલા ખિલાડીઓ પર તેમની નજર છે. '' તમને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયા સહિત બાકી દેશોને 23 એપ્રિલ સુધી પોતાની ટીમની જાહેરાત કરવાની છે. એવામાં જ્યારે વર્લ્ડ કપની તારીખ આટલી નજીક આવી ગઇ છે ત્યારે આ ખિલાડીઓ પર નજર નાખીએ જેને વર્લ્ડ કપમાં સ્થાન મળી શકે છે...
દિનેશ કાર્તિક:
દિનેશ કાર્તિક વિકેટકિપરની સાથે KKRનો કેપ્ટન પણ છે. શરૂઆતી 2 મેચમાં સિંગલ ડિજિટમાં સ્કોર કર્યા પછી 3 મેચમાં તેણે સીરિઝની ફર્સ્ટ હાફ સેન્ચુરી કરી અને જે પછી RCB સામે સારો સ્કોર ના કરી શક્યો.
અંબાતી રાયડૂ:
અત્યાર સુધી 5 મેચમાં 13.75 રનોની એવરેજથી કુલ 55 રન કર્યા છે. ટીમ માટે શેન વૉટસનની સાથે ઑપનિંગ કરવા આવતા અંબાતી રાયડૂએ અત્યાર સુધી કોઇ કમાલ કર્યો નથી, રાયડૂએ અત્યાર સુધી સૌથી વધુ રન પજાંબ (21) વિરુદ્ઘ કર્યા છે.
હાર્દિક પંડ્યા:
ઑલરાઉન્ડર પંડ્યા વિવાદ પછી જોરદાર વાપસી કરી ચૂક્યો છે. સારા સ્ટ્રાઇક રેટ (178.94) અને બેટિંગ એવરેજ (34.00)ની સાથે તે મુંબઇની ટીમમાં ટૉપ પર છે. સારા પરફૉર્મન્સના આધાર પર CSK વિરુદ્ઘ મેન ઑફ ધમ મેચનું ટાઇટલ પર મળ્યુ, જેમાં તેણે 8 બૉલમાં 25 રન કરી અને 20 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી.
વિજય શંકર:
શરૂઆતી 2 મેચમાં 30+ કર્યા પછી 3 મેચમાં તે 9,16 અને 5 રન પર આઉટ થઇ ગયો, જેમાંથી 2 મેચમાં (3 ઑવર) માટે બોલિંગ પણ કરાવવામાં આવી, જેમાં 26 રન આપીને કોઇ વિકેટ ના ઝડપી.
ઋષભ પંત:
મુંબઇ વિરુદ્ઘ થયેલી મેચમાં પંતે 7 બાઉન્ડ્રી અને 7 સિક્સર ફટકારીને માત્ર 27 બૉલમાં 78 રનની ઇનિંગ રમી, જોકે આ પછીની તમામ મેચમાં પરફૉર્મન્સ ઠીક ના રહ્યુ જેથી તેની એવરેજ માત્ર 32.50 રહી ગઇ. જોકે વિકેટકિપિંગમાં કોઇ ફરિયાદનો મૌકો નથી આપ્યો.
ઇશાત શર્મા:
વર્લ્ડ કપમાં ઇશાંત શર્મા ટીમ ઇન્ડિયાની ચોથા ફાસ્ટ બૉલરના રૂપમાં જગ્યા બનાવવા ઇચ્છે છે. અત્યાર સુધીનું તેનુ પરફૉર્મન્સ ઠીક રહ્યુ. તેણે 12 ઑવરમાં 98 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી.
કેએલ રાહુલ:
ટીવી શો પર થયેલા વિવાદ પછી રમવા માટે આવેલા કેએલ રાહુલ પહેલા મેચમાં માત્ર 4 બૉલ રમીને આઉટ થઇ ગયો. પરંતુ તેની વાપસી અને હાલમાં તે પજાંબની તરફથી રન કરવામાં બીજા સ્થાન પર છે, તેણે અત્યાર સુધી 36.50ની એવરેજથી 146 રન કર્યા છે.
અંજ્કિય રહાણે:
રહાણે 2015માં થયેલી વર્લ્ડ કપની ટીમનો ભાગ છે. કાર્તિકની જેમ રહાણે પર પણ સારુ ફોર્મ કરવાની સાથે રાજસ્થાન ટીમને સારું ફોર્મ અપાવવાનું પ્રેશર છે. પરંતુ 6 મેચમાં માત્ર 1 હાફ સેન્ચુરી કરી અને તેણે ઇંગ્લેન્ડની ટિકિટ મેળવવા માટે કંઇક ખાસ કરવાનું રહેશે.