પૂર્વ ભારતીય ક્રિકટેર ગૌતમ ગંભીરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટન્સીને લઇને કટાક્ષ કર્યો છે. ગૌતમે કહ્યુ કે, કોહલી કેપ્ટન તરીકે ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છે, તેણે જીત વગર પણ 7 વર્ષની કેપ્ટન્સી મળી છે. ઉલ્લેખનીય છે કે, ''RCB આ IPLની સિઝનમાં પ્લે ઑફમાં જગ્યા નથી બનાવી શકી.''
મંગળવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ઘ રમાચેલી મેચમાં RCB જીતી તો ગઇ પરંતુ પ્લે ઑફમાં ના પહોંચી શકી. વિરાટ કોહલીને 2012થી RCBની કેપ્ટન્સી કરી મળી હતી, ત્યારથી લઇને અત્યાર સુધી રમાયેલી સિઝનમાં અત્યાર સુધી RCB માત્ર 2 જ વખત પ્લે ઑફમાં જગ્યા બનાવી શકી છે.
IPL 2015માં બીજા ક્વૉલિફાયરમાં ટીમમાં મળેલી હાર પછી 2016ના ફાઇનલમાં હૈદરાબાદે RCBને હરાવ્યુ. આ સિઝનમાં કોહલીની ટીમનુ પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યુ છે. ટીમ પર પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને પહોંચવાનો ડર પણ છે, RCBના માત્ર 9 પૉઇન્ટ છે અને હવે એકમાત્ર મેચ રમવાની બાકી છે. જો તેઓ આ મેચ હારી જાય છે તો નિશ્ચિત રીતે ટીમ છેલ્લા સ્થાને હશે.
ગૌતમ ગંભીરને કહેવુ છે કે, ''હું માત્ર IPLની કેપ્ટન્સીની વાત કરી રહ્યો છુ, ભારત માટે નહી.. હું ચોક્કસથી કહીશ કે તે RCBના કેપ્ટન બની રહેવા માટે તે ભાગ્યશાળી રહ્યો છે. વિરાટ એક શાનદાર ખિલાડી છે દુનિયાના બેસ્ટ પ્લેયર્સમાં શામેલ છે. પરંતુ કેપ્ટન્સીમાં તે ભાગ્યશાળી છે. જીત વગર 7 વર્ષથી ટીમનો કેપ્ટન રહી શક્યો છે. ''
આ પહેલી વખત નથી જ્યારે ગંભીરે કોહલી પર કટાક્ષ કર્યો હોય. આ પહેલા પણ ગંભીર વિરાટને લઇને કહી ચૂક્યુ છે કે, ''વિરાટ એક ચતુર કેપ્ટન નથી. એમ એસ ધોની અને રોહિત શર્માની કેપ્ટન્સીની સાથે તેની તુલના ના કરી શકાય.''