IPLની 12મી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વ્ચચેની મેચ દરમિયાન 'નૉ બોલ' આપવા બાબતે CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ઉતરી અમ્પાયર સાથે માથાકૂટ કરી હતી. આ ઘટના બાદ મેચ રેફરીએ ધોનીને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના 50 % દંડ ફટકાર્યો હતો. જેનાથી કેટલાક સીનિયર્સ ખેલાડીઓ આ સજાથી ખુશ નથી.
પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ સજાને મજાક ગણાવી હતી. હવે વિરેન્દ્ર સહવાગે ધોની પર ઓછામાં ઓછી 2-3 મેચના પ્રતિબંધ મૂકવો જોઇએ તેમ કહ્યુ છે. સહવાગે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''મારા ખ્યાલ મુજબ ધોનીએ મેદાન પર ઉતરવુ જોઇએ નહોતુ. મેદાન પર બેટ્સમેન હતા, જેઓ નોબોલ બાબતે અમ્યાપર સાથે ચર્ચા કરી શક્યા હતા.''
આ સાથે જ સહેવાગે સજા અંગે કહ્યુ કે, ''આ ઉલ્લંઘન બદલ ધોની પર 2-3 મેચનો પ્રતિબંધ મૂકવો જોઇએ હતો, તેનાથી અમ્પાયરની અમસતિનો ખ્યાલ આવી ગયો ધોનીએ જો ભારતીય ક્રિકેટ ટીમ માટે આવુ કર્યુ તો મને ખુશી થાત.''
Among the firsts for me in today's game was the sight of Dhoni walking out onto the ground. As @MichaelVaughan said on #CricbuzzLIVE it is something he will realise he shouldn't have done.
હર્ષા ભોગલેએ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોનને આ ટ્વીટમાં સંબોધીને કહ્યું હતું કે, ''જેમ વોને કહ્યું ધોનીને પછીથી ખ્યાલ આવશે કે તેણે મેદાન પર જવાની જરૂર ન હતી.''
Umpiring standards have been pretty low in this #IPL and that was a no-ball given and reversed. Enough to feel crossed and miffed. But the opposition captain has no right to walk out on the pitch after being dismissed. Dhoni set a wrong precedent tonight. #RRvCSK#IPL
જયારે આકાશ ચોપરાએ કહ્યું હતું કે, ''ધોનીએ આમ મેદાનમાં ઘૂસીને ખોટો દાખલો બેસાડ્યો છે. અમ્પાયરિંગની ફરિયાદ પછીથી થઈ શકે છે, પરંતુ કોઈ પણ કેપ્ટ્નને આમ મેદાનમાં પ્રવેશવાનો અધિકાર નથી.''