ક્રિકેટની દિવાળી આજથી શરૂ થવા જઇ રહી છે જ્યારે મેદાન પર 2 દિગ્ગજો મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની ટીમ ઉતરશે. IPL ની 12મી સિઝન ચેન્નાઇ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મેચથી શરૂ થશે. આ લીગને 1 દાયકાથી પણ વધારે સમય થઇ ચૂક્યો હોવા છતાં રોમાંચ સતત છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જોકે એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં રમાયેલી પોતાની 7માંથી 6 મેચ હારી છે, જેમાં 2 ફાઇનલ પણ શામેલ છે. IPL 2011 અને ચેમ્પિયન્સ લીગ T-20ની મેચ. આ સિવાય 2014 પછી હજુ સુધી વિરાટ કોહલીની ટીમ CSKને હરાવી નથી શકી.
ઓપનિંગ સેરેમની નહીં યોજાય:
ઉલ્લેખનીય છે કે, 12મી સિઝનની શરૂઆત ઓપનિંગ સેરેમનીથી નહી થાય, પુલવામા હુમલામાં શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ આપતાં આ વખતે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની પહેલાંથી જ રદ કરી નાખવામાં આવી હતી. આ સિવાય CSKની ટીમ પહેલી મેચમાં ટિકિટા વેચાણથી થયેલી કમાણીને પુલવામા આંતકી હુમલામાં થયેલા શહીદ જવાનોના પરિવારને મદદ કરવા માટે આપશે.
અનુભવનો છે ભરમાન:
ચેન્નાઇની કોર ટીમની ઉમર 30 વર્ષથી ઉપર છે. ધોની અને શેન વૉટસન 37 વર્ષના છે જ્યારે ડ્વેન બ્રાવો 35, ફ ફાફ ડુ પ્લેસિસ 34, અંબાતી રાયડૂ અને કેદાર જાધવ 33 અને સુરેશ રૈના 32 વર્ષનો છે. સ્પિનર ઇમરાન તાહિર 39 અને હરભજન સિંહ 38 વર્ષનો છે.જ્યારે લેગ સ્પિનર કર્ણ શર્મા 31 અને બૉલર મોહિત શર્મા 30 વર્ષની ઉપર છે.
પહેલા ટાઇટલ માટેની રાહ:
જ્યાં ચેન્નાઇ 3 વખત ચેમ્પયિન છે, ત્યારે બેંગ્લોરની ટીમમાં ઘણા મોટા નામ હોવા છતાં એક પણ વખત IPLનું ટાઇટલ નથી જીતી શકી. 3 વખત ફાઇનલમાં પહોંચવા છતાં ત્રણેય વખત હાર મળી છે. શનિવારની મેચનું પરિણામ બૉલર્સ અને દબાણનુ સામના કરવાની ક્ષમતા પર આધારિત છે. આ બંને ટીમ છેલ્વી મેચ ગત વર્ષે પૂણેના રમી હતી. જેમાં જાડેજાના પહેલા જ બૉલમાં વિરાટ કોહલી અને હરભજનના પહેલા બૉલ પર એબી ડિવિલયર્સ આઉટ થઇ ગયા, જેથી આ બેટ્સમેન હવે પોતાનો હિસાબ બરાબર કરવા માટે રાહ જોઇ રહ્યા છે.
વર્લ્ડ કપ ટીમ પર નજર:
ચેન્નાઇ અંબાતી રાયડૂ અને રવિન્દ્ર જાડેજા સારુ ફોર્મ કરીને વર્લ્ડ કપ ટીમમાં તેની જગ્યા પાક્કી કરવા ઇચ્છશે. ત્યારે બેંગ્લોરનો બૉલર ઉમેશ યાદવની નજર પર IPLમાં સારુ ફોર્મ કરીને વર્લ્ડ કપની ટીમમાં પોતાની જગ્યા બનાવવા પર છે.