દિલ્હી ડેયરડેવિલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે IPL સિઝન 11ની 26મી હરિફાઇ દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાશે. સતત હાર બાદ ગૌતમ ગંભીરે દિલ્હીની કેપ્ટની છોડી દીધી છે. એની જગ્યાએ શ્રેયલ અય્યરને કમાન સોંપવામાં આવી છે અને એમના નેતૃત્વમાં ટીમ એક નવી શરૂઆત સાથે ઊતરશે. જો કે અય્યરને પણ અહેસાસ થશે કે એના માટે એના માટે આ રસ્તો કોઇ રીતે સરળ નથી.
દિલ્હીનું નસીબ હજુ સુધી કોઇ કેપ્ટન બદલી શક્યું નથી. એવામાં અય્યર ટીમનો ઇતિહાસના નવા પાના લખી શકે છે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે. અય્યર માટે સૌથી મોટો પડકાર ટીમને એકત્રિત કરીને સંતુલિત પ્રદક્શન કરવાનું છે. ટીમની બેટિંગ અને બોલિંગ બંનેમા મજબૂત છે. ખુદ અય્યરે ગત બેટિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું જો કે એ પંજાબ વિરુદ્ધ ટીમને જીતની નજીક લઇ જઇને પણ જીત અપાવી શક્યું નહીં.
હવે કેપ્ટનીની નવી જવાબદારી બાદ એની પર દબાણ હશે. દિલ્હીની પાસે ગૌતમ ગંભીર જેવો અનુભવી બેટ્સમેન છે. હવે એ કેપ્ટન નથી પરંતુ ટીમને સંભાળવા અને મેટોંરની ભૂમિકા એમને નિભાવવાની છે.
બોલિંગની ટીમે ગત મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ શમી અને ટ્રેંટ બોલ્ટ પર ટીમની જોરદાર બોલિંગ આકેરમણની જવાબદારી હશે. ગત મેચમાં દિલ્હી અમિત મિશ્રા અને રાહુલ તેવતિયાના રૂપમાં બે લેગ સ્પિનર લેવા ઊતરી હતી.