ચિદમ્બરની તરફથી સિનિયર વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી છે કે જ્યાં સુધી રિમાન્ડની વિરુદ્ધ અરજી દાખલ ન કરવામાં આવે ત્યાં સુધી ચિદમ્બરમને જેલ મોકલવામાં ન આવે. ચિદમ્બરમને સીબીઆઈ ઈચ્છે તો એરેસ્ટ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આ દલીલને નકારી દીધી છે.
સીબીઆઈની અદાલતમાં આજે નક્કી થશે કે આઈએનએક્સ મીડિયા કેસમાં ગિરફ્તાર થયેલા કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમના સીબીઆઈ કસ્ટડી પૂરી થતાં તેમને ન્યાયિક હિરાસતના આધારે જેલ મોકલવા તે જમાનતની સાથે તેમને મુક્ત કરવા. ચિદમ્બરના કેસમાં અંતમરિમ જમાનત માંગવામાં આવી છે. સુનાવણી માટે અદાલતે મંગળવારનો દિવસ નક્કી કર્યો છે. તેમની સીબીઆઈ કસ્ટડી એક દિવસ માટે વધારી દેવામાં આવી છે.
અહીં સીબીઆઈએ ચિદમ્બરમને ત્રણ દિવસની કસ્ટડી પૂરી થતાં અદાલતમાં રજૂ કર્યા. તો સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે આરોપી ચિદમ્બરમની તરફથી અંતરિમ જમાનત માટેની અરજી આપી. સીબીઆઈએ તેનો વિરોધ કર્યો અને તેની પર જવાબ આપવા માટે અદાલત પાસે સમયની માંગણી કરી હતી.
કાયદાની નજરમાં દરેક નાગરિક એક સમાન
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કાયદાની નજરમાં દરેક નાગરિક એક સમાન છે. તેઓએ દલીલ કરી કે એજન્સીને તેની પર નોટિસ આપવામાં આવે અને તે કાયદાકીય રીતે જરૂરી પણ છે. સ્પેશ્યિલ સીબીઆઈ જજ અજય કુમારે કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશને વિશે સૂચિત કરવામાં આવ્યું ત્યારે તેઓએ પૂછ્યું કે સુપ્રીમ કોર્ટે સોમવારે જ આ કેસનો નિર્ણય આપી દેવો. ચિદમ્બરમના વકીલ મનુ સિંધવીએ કહ્યું કે આ સાધારણ કેસ હોત તો સોલિસિટર જાતે અહીં હાજર ન રહ્યા હોત.
સિંધવીએ કરી આ દલીલ
એસડીએ દલીલીની તપાસ એજન્સીને જવાબમાં અદાલત પાસે 10 દિવસ માંગ્યા, જ્યારે સિબ્બલ ચર્ચા માટે તૈયાર હતા. અદાલતે સુપ્રીમ કોર્ટના આદેશથી અજાણ હોવાનું કહીને નિર્ણયને વધુ એક દિવસ ટાળ્યો. મંગળવારે એટલે કે આજે તેમની પર સુનાવણી કરવામાં આવશે. સિંધવીએ કહ્યું કે તેમના આધારે સુપ્રીમ કોર્ટે તેમને અંતરિમ જમાનત અરજીને નિપટાવવા માટે ફરી કસ્ટડીનો સમય 5 સપ્ટેમ્બર સુધીનો કરવાની વાત કરી છે.
નિચલી અદાલતને આ નિર્દેશ
ચિદમ્બરમ કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે નિર્દેશ કર્યા છે કે નિચલી અદાલત તેમની તરફથી જમાનત અરજીનો નિર્ણય સોમવારે લે. જો અંતરિમ જમાનત નહીં આપવામાં આવે તો તેમની રિમાન્ડનો સમય ત્રણ દિવસ માટે વધારી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈની તરફથી સોલિસિટર તુષાર મહેતા હાજ રહ્યા અને ક્હ્યું કે એમ થશે તો આ જમાનત ગણાશે. કોર્ટે આદેશમાં પરિવર્તન આપતાં સીબીઆઈની દલીલ પર સુનાવણી મંગળવારે રાખી.