પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમની જામીન અરજી પર બુધવારે જસ્ટિસ આર બાનુમતિ, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ હ્રષિકેશ રૉયની પીઠે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર EDને નોટિસ ફટકારી આ કેસમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ 26 નવેમ્બરે આ મુદ્દા પર સુનાવણી કરશે.
જસ્ટિસ આર. ભાનુમતીની અધ્યક્ષતામાં ૩ જજની બેન્ચ ચિદમ્બરમની જામીનઅરજી પર સુનાવણી કરી
સુપ્રીમ કોર્ટ 26 નવેમ્બરે આ મુદ્દા પર સુનાવણી કરશે
નોંધનીય છે કે, ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. અરજીમાં ચિદમ્બરમે કહ્યું કે દિલ્હી હાઇકોર્ટની જામીન અરજી રદ્દ કરવાનો નિર્ણય ખોટો છે. આ પહેલા 15 નવેમ્બરે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને INX મીડિયા મામલામાં મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે INX મીડિયાના ઇડીથી જોડાયેલા મામલામાં તેમને જામીન આપવાથી ઇનકાર કર્યો હતો.
આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની જામીનઅરજી પર આજે સુનાવણી કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નોટિસ આપીને ચિદમ્બરમની જામીન અરજી પર તેમનો અભિપ્રાય માગ્યો છે અને સોમવાર સુધીમાં આ નોટિસનો જવાબ આપવા ઈડીને આદેશ કર્યો છે.
૩ જજની બેન્ચે ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી કરી
જસ્ટિસ આર. ભાનુમતીની અધ્યક્ષતાવાળી ૩ જજની બેન્ચ ચિદમ્બરમની જામીનઅરજી પર સુનાવણી કરી હતી. સોમવારે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે જામીનઅરજી પર વહેલી સુનાવણી કરવાની માગ કરી હતી. સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચિદમ્બરમ છેલ્લા ૯૦ દિવસથી જેલમાં છે. તેમની જામીનઅરજીને દિલ્હી હાઈકોર્ટે નામંજૂર કરી હતી, જેની સામે તેઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે બહુચર્ચિત આઈએનએક્સ મીડિયા કેસમાં ગત ૧૮ ઓક્ટોબરે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ કેબિનેટ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ, તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને તેમની બે કંપનીઓ સહિત કુલ ૧પ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
CBIનો દાવો, પી. ચિદમ્બરમને ઇન્દ્રાણી મુખરજીએ લાંચ આપી હતી
આ દરમિયાન સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે આ કેસમાં ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. તેથી પી. ચિદમ્બરમને હમણાં જામીન આપવા જોઈએ નહીં. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પી. ચિદમ્બરમને ઇન્દ્રાણી મુખરજીએ ૩પ.પ કરોડ રૂપિયાથી પણ વધુની લાંચ આપી હતી. આ નાણાં સિંગાપોર, મોરેશિયસ, બર્મુડા, ઇંગ્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડમાં આપવામાં આવ્યાં હતાં. વિશેષ ન્યાયાધીશ લાલસિંહ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧પ મે, ર૦૧૭ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આ કેસ દાખલ કર્યો હતો. ઈડી દ્વારા દાખલ કરાયેલા કેસમાં આઈએનએક્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડને ૪.૬ર કરોડની માન્ય એફડીઆઈ રકમ સામે લગભગ ૪૦૩.૦૭ કરોડનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આઈએનએક્સ મીડિયા પ્રાઈવેટ લિમિટેડનાં ડિરેક્ટર ઈન્દ્રાણી મુખરજી અને પીટર મુખરજી, તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સહિતના ઘણા અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હતા.
શું છે મામલો
યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન રહી ચૂકેલા પી. ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા ર૧ ઓગસ્ટે જોરબાગ સ્થિત તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ ૧પ મે, ર૦૧૭ના રોજ આઈએનએક્સ મીડિયા ગ્રૂપને ર૦૦૭માં ૩૦પ કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ પ્રાપ્ત કરવા માટે આપવામાં આવેલી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા હોવાનો આરોપ લગાવતાં એફઆઇઆર દાખલ કરી હતી. તે સમયે ચિદમ્બરમ નાણાપ્રધાન હતા.