INX મીડિયા કેસમાં ફસાયેલ પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમને આવતી કાલ સુધી રાહત આપવામાં આવી છે. ચિદમ્બરમને ધરપકડમાં લેવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ નથી થઇ શકી. જેથી આવતી કાલનાં બુધવારનાં રોજ આ મામલા પર આગળની સુનાવણી થશે.
ઇડીની અરજી પર સુનાવણી દરમ્યાન ચિદમ્બરમનાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ચિદમ્બરમ વિરૂદ્ધ જે પીએમએલએ કાયદાનાં ઉલ્લંઘનનો આરોપ છે, તે કાયદો 2009માં આવ્યો હતો અને આ આધાર પર તેમનાં અસીલ પર કેસ દાખલ ના થઇ શકે. એવામાં એવાં સમાચાર સામે આવ્યાં કે સીબીઆઇ આઇએનએક્સ કેસમાં ચિદમ્બરમને આરોપી નંબર વન બનાવી શકે છે. આ સાથે જ વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ સાથે જોડાયેલ પાંચ અધિકારીઓને પણ પૂછપરછ થઇ શકે છે.
ચિદમ્બરમનાં વકીલ સિંઘવીએ દલીલ કરી
સિંઘવીએ તેમના અસીલ વતી દલીલ કરી હતી કે ચિદમ્બરમ (P. Chidambaram) વિરૂદ્ધ ગુનાકીય આરોપ 2007નો હતો. તેથી જ્યારે કાયદો 2009માં આવ્યો ત્યારે તે કાયદો અહીં કેવી રીતે સમાવી શકાય છે. સિંઘવીએ કહ્યું કે આરોપીની કસ્ટડી માટે ઈડી 'પાછળથી' કોર્ટમાં દસ્તાવેજો રજૂ ના કરી શકે.
ED પાસે માંગેલી પૂછપરછની લેખિત વિગતો
જસ્ટીસ આર ભાનુમતી અને ન્યાયાધીશ એ.એસ. બોપન્નાની ખંડપીઠ સમક્ષ ચિદમ્બરમ તરફથી વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, તેઓએ આ સંદર્ભે એક અરજી કરી હતી કે જેમાં ગયા વર્ષે 19 ડિસેમ્બર, 1 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી, 2019નાં રોજ તેમનાં અસીલને કરવામાં આવેલી પૂછપરછની લેખિત વિગતો આપવા માટે પ્રવર્તન નિર્દેશાલયને (ED) નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે.
સિબ્બલે કહ્યું કે, આ લેખિત નિવેદનોથી એ વાતનો ખુલાસો થશે કે શું ચિદમ્બરમ પૂછપરછ દરમિયાન જવાબ આપવાનું ટાળી રહ્યાં હતાં જેમ કે પ્રવર્તન નિર્દેશાલયનો આરોપ છે. તેમની બેંચે કહ્યું હતું કે, ચિદમ્બરમને કસ્ટડીમાં લેવા માટે ED પોતાની મરજીથી અને પીઠ પાછળ કોઈ દસ્તાવેજો દાખલ ના કરી શકે. સિબ્બલે કહ્યું કે, 'તેઓ અચાનક દસ્તાવેજો રજૂ કરી રહ્યાં છે અને કહે છે કે આ કેસ ડાયરીનો એક ભાગ છે.' મીડિયા અહેવાલ અનુસાર, ઇડીનાં સોગંધનામા પર ચિદમ્બરમે પોતાનાં જવાબમાં કહ્યું હતું કે ઇડીની જે સંપત્તિઓ અને બેંક ખાતાઓને હવાલો આપી રહી છે તે બધાં માન્ય છે.
સીબીઆઈ બનાવશે આરોપી નંબર વન?
અહીં એવાં અહેવાલો છે કે સીબીઆઈ ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા કેસમાં (INX Medica Case) આરોપી નંબર વન બનાવી શકે છે. એવાં અહેવાલો પણ મળી રહ્યાં છે કે, ટોચની તપાસ એજન્સી કોર્ટને ચિદમ્બરમ માટે લાઇ ડિટેક્ટર ટેસ્ટનો પણ આગ્રહ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન ચિદમ્બરમ સીબીઆઈનાં પ્રશ્નોનાં ગોળમટોળ જવાબ આપી રહ્યાં છે.
CBIની કસ્ટડીમાં છે ચિદમ્બરમ
ચિદમ્બરમ હાલમાં આઈએનએક્સ મીડિયા કરપ્શન અને મની લોન્ડ્રિંગ કેસમાં સીબીઆઈની કસ્ટડીમાં છે. દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટે સોમવારે તેમની અટકાયત વધારીને 30 30 ઓગસ્ટ કરી દીધી છે. તે જ સમયે પ્રવર્તમાન નિર્દેશાલય (ઇડી) પણ ચિદમ્બરમની ધરપકડમાં લાગી ગઇ છે.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટની આ પીઠ આઈએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં ચિદમ્બરમની આગામી જામીન રદ કરવાનાં દિલ્હી હાઈકોર્ટનાં 20 ઓગસ્ટના નિર્ણય સામે દાખલ કરેલી અપીલ પર સુનાવણી કરી રહી છે.