હાઇકોર્ટે કહ્યું, ચિદમ્બરને જામીન આપવામાં આવે છે તો સમાજમાં ખોટો સંદેશ જશે
દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું, 'આરોપ ખુબ જ ગંભીર છે. અને આરોપીની મુખ્ય ભૂમિકા છે...' દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સુરેશ કૈથે પોતાના આદેશમાં કહ્યું, ''જો આ સ્ટેજ પર ચિદમ્બરમને જામીન આપવામાં આવે છે. તો 70 બેનામી બેન્ક એકાઉન્ટો સહિત શેલ કંપનીઓ અને મની ટ્રેલને સાબિત તપાસ એજન્સીઓ માટે મુશ્કેલ બની જશે, તેથી જનહિતમાં જામીન અરજીને ફગાવી દેવામાં આવે છે. આ આર્થિક ગૂનાને પગલે દેશને આર્થિક રૂપે નુકશાન પહોંચ્યું...'
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એમ પણ કહ્યું કે આ મામલામાં જો ચિદમ્બરને જામીન આપવામાં આવે છે તો તેથી સમાજમાં ખોટો સંદેશ જશે. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ 21 ઓગસ્ટથી પોલીસની કસ્ટડીમાં છે.
પી. ચિદમ્બરમને સીબીઆઇ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટથી પહેલા જામીન મળી ચૂક્યા છે, પરંતુ આજે દિલ્હી હાઇકોર્ટથી તેમને ઝટકો લાગ્યો.