સુપ્રીમ કોર્ટથી આગોતરા જામીનની આશા રાખીને બેઠેલા પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમને કોર્ટે રાહત નથી આપી. હવે તેમની આગોતરા જામીનની અરજી પર 23 ઓગસ્ટ એટલે કે શુક્રવારે સુનાવણી થશે. જ્યારે ઇડીએ ચિદમ્બરમને દેશ છોડવાની આશંકાએ લુકઆઉટ નોટિસ જાહેર કર્યું છે.
સીબીઆઇ અને ઇડીની ટીમ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને શોધી રહી છે. જ્યારે પી. ચિદમ્બરમના વકીલ સલમાન ખુર્શીદે કહ્યું કે એમને નથી ખબર કે પી ચિદમ્બરમ ક્યાં છે. પત્રકારો સાથેની વાતચીત કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે આજે સાંજના 5 વાગી ચૂક્યા છે, તેથી આજે કેસ લીસ્ટ ન થઇ શકે.
23 ઓગસ્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પર સુનાવણી
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી ગઇ છે. એણને સુપ્રીમ કોર્ટથી કોઇ રાહત નથી મળી. પી ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં 23 ઓગસ્ટે સુનાવણી થશે. ED દ્વાર વિદેશ ભાગી જવાના ડરે પી.ચિદમ્બરમની સામે લૂકઆઉટ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.
સીબીઆઇની ટીમ એક વાર ફરી પી. ચિદમ્બરમના નિવાસ સ્થાને પહોંચી હતી. બુધવારે સવારે સીબીઆઇની ટીમ પૂર્વ નાણા પ્રધાનના નિવાસ સ્થાને પહોંચી. સીબીઆઇ અને ઇડી ગઇકાલ રાતથી ચિદમ્બરમની શોધ કરી રહ્યાં છે.
દિલ્હી હાઇકોર્ટે મંગળવારના રોજ INX મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન અને કોંગ્રેસના નેત પી. ચિદમ્બરમની આગોતરા જામીન રદ કર્યા બાદ સીબીઆઇ અને ઇડીની સંયુક્ત ટીમ દ્વારા ચિદમ્બરમની ધરપકડના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
આ ઘટનાક્રમમાં સીબીઆઇ અને ઇડીની ટીમ મંગળવારે સાંજે ચિદમ્બરમના નિવાસસ્થાને પહોંચી હતી, પરંતું તેઓ મળ્યાં નહી. ત્યારબાદ સંયુક્ત ટીમ મોડી રાત્રે ફરી ચિદમ્બરમના નિવાસસ્થાને પહોંચી અને બે કલાકમાં હાજર થવાની નોટિસ લગાવી દીધી.જો કે આ નોટિસને લઇને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના વકીલ અર્શદીપે સીબીઆઇને જવાબ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુધી કાર્યવાહી ન કરે
અર્શદીપ ખુરાનાએ સીબીઆઇને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ચિદમ્બરમની અરજી પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જેને લઇને હું અપીલ કરું છું કે મારા કલાઇન્ટ વિરુધ્ધ કોઇ કડક કાર્યવાહી ન કરે.
ચિદમ્બરમના વકીલે રાહતની માંગ કરી
ચિદમ્બરના વકીલ અર્શદીપ ખુરાનાએ લખ્યું હતું કે મારા ક્લાઇન્ટ કાયદામાં તેમના ઉપલબ્ધ અધિકારને લઇને 20 ઓગસ્ટના રોજ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જેથી તેમની જામીન અરજી (INX મીડિયા મામલે) રદ્દ કરવાના આદેશ સંબંધમાં તત્કાલ રાહતની માંગ કરી શકાય.
ચિદમ્બરમના વકીલે સીબીઆઇને પત્ર લખ્યો
પી. ચિદમ્બરમના વકીલ અર્શદીપ ખુરાનાએ સીબીઆઇને પત્ર લખ્યો હતો. અર્શદીપ ખુરાનાએ પત્રમાં લખ્યું હતું કે તમારી નોટીસ કાયદાની જોગવાઇનો ઉલ્લેખ કરવામાં વિફળ રહી છે. નોટિસમાં અંગેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કાયદાની કઇ જોગાવાઇ મુજબ મારા કલાઇન્ટે 2 કલાકમાં હાજર થવા અંગે જણાવવામાં આવ્યું છે.