સીબીઆઈ ચિદમ્બરમની અટકાયતને વધારવા માટે પ્રયાસ નહીં કરે. તેના કારણે થશે એવું કે ચિદમ્બરમને ન્યાયિક અટકાયત માટે તિહાડ જેલ મોકલવામાં આવશે.
આઈએનએક્સ મીડિયા મામલે સુપ્રીમ કોર્ટ કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરની અરજી પર હવે 2 સપ્ટેમ્બરે સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં ચિદમ્બરે કોર્ટમાં કહ્યું હતું કે, તેમના સીબીઆઈ રિમાન્ડ શુક્રવારે પૂરા થઈ રહ્યા છે અને તેઓ 2 સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં રહેવાનો પ્રસ્તાવ મુકે છે. તેમણે કહ્યું કે, આમા સીબીઆઈને કોઈ તકલીફ ન હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બર સુધી ચિદમ્બરમની ધરપકડ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને હવે તે જ દિવસે હાઈકોર્ટના નિર્ણય પર પૂર્વ નાણાપ્રધાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી વિશે સુનાવણી કરવામાં આવશે.
INX મીડિયા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ હાલમાં સીબીઆઈની અટકાયતમાં છે. ચિદમ્બરમની ગિરફ્તારીને લઈને અનેક અટકળો કરવામાં આવી રહી છે. શું ચિદમ્બરમ કાયદા અને સીબીઆઈની જાળમાં ફસાશે? સ્થિતિ તો એવી છે કે શુક્રવારે સાંજે જ ચિદમ્બરમને તિહાડ જેલ પહોંચાડી દેવામાં આવે. આ બાબતથી ગભરાયેલા ચિદમ્બરમના દિગ્ગજ વકીલોએ ચિદમ્બરમને સીબીઆઈની અટકાયતમાં રાખવાની અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી છે. પરંતુ તેનું કોઈ પરિણામ હાલ સુધી આવ્યું નથી.
મોટા વકીલોની ફોજે ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડીના કેસ અને જેલ જવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવવાની દરેક સંભવ કોશિશ કરી છે. દેશની મોટી તપાસ એજન્સીઓ પણ આ કેસમાં કોઈ ખામી રાખી નથી. ચિદમ્બરના વકીલોના દરેક પ્રયાસને કાયદાકીય રીતે નકારી દેવામાં આવી રહ્યા છે. એટલે કે સિયાસી શતરંજ પર કાયદાના મોહરાની જીત અને હાર ચાલી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલ ચિદમ્બરમને સ્પેશ્યલ કોર્ટની અટકાયતમાં રાખવાનો જોરશોરથી વિરોધ કરી રહ્યા હતા. ત્યારે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં લાચારી અનુભવી રહ્યા છે. સોમવાર સુધી તેમને સીબીઆઈની અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને સાથે તેને માટે તેઓ તૈયાર પણ છે. સ્પેશ્યલ કોર્ટમાં સીબીઆઈએ વધુ પાંચ દિવસની કસ્ટડી માંગી હતી અને સિબ્બલ અને સિંધવી કંઈ કરી શક્યા નહીં. તેઓએ કહ્યું હવે કસ્ટડીની કોઈ જરૂર નથી. ચિદમ્બરમને એક જ સવાલો વારેઘડી પૂછવામાં આવી રહ્યા છે અને તેમને હેરાન કરવા માટે સીબીઆઈ તેમની કસ્ટડી માંગી રહી છે.
પરંતુ હાલમાં સવાલ એ છે કે એવું તો શું થયું કે ત્રણ દિવસ બાદ જ સિબ્બલ ભાર મૂકી રહ્યા છે કે સીબીઆઈ કસ્ટડીમાં જ વધુ ચાર દિવસ રહેવા દેવામાં આવે. આ દલીલ અને અપીલ પર સીબીઆઈ અને ઈડીના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાને માટે સારું હતું. પરંતુ તેઓ તરત તેની વિરુદ્ધમાં ઊભા રહ્યા.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સીબીઆઈ ચિદમ્બરમની અટકાયત વધારવા પર ભાર નહીં મૂકે. તેનું પરિણામ એ આવશે કે ચિદમ્બરમને ન્યાયિક અટકાયત માટે તિહાડ જેલ મોકલવામાં આવે. 5 સપ્ટેમ્બરે સીબીઆઈ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ નક્કી કરશે કે ઈંદ્રાણી મુખર્જી અને અન્ય લોકો સાથે ચિદમ્બરમની મુલાકાત કરાવવાના બહાને પણ ચિદમ્બરમની અટકાયતની માંગ કરી શકાશે. આ સમયે ઈડીના નિર્ણયના આધારે સુપ્રીમનો નિર્ણય રહેશે. કેમકે 5 સપ્ટેમ્બર સુધી તો સુપ્રીમ કોર્ટને ઈડીએ રોકી રાખ્યા છે.