જ્યારે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ જાહેરાત કરશે કે મંદી હવે નથી રહી ત્યારે ઇક્વિટી માટે એક મુખ્ય એસેટ ક્લાસ તરીકે ઉભરી આવવાની એક મોટી તક હશે.
વૈશ્વિક મંદીની ભારત પર નહિ થાય કોઈ અસર
સંભવિત મંદી વચ્ચે રોકાણ કરવામાં વિવિધતા લઇ આવી પણ જરૂરી
આ રીતે રોકાણ કરવું
ગત એક વર્ષમાં ભારતની તમામ શેર બજારોમાં અસ્થિરતા જોવા મળી છે. સતત વધતી મોંઘવારીને કાબુમાં કરવાના પગલે ભારતભરની કેન્દ્રીય બેંકો વ્યાજદરો વધારી રહી છે. જોકે આટલી મુશ્કેલી હોવા છતાં પણ ભારત એક સ્થિર અર્થવ્યસ્થાનો દેશ તરીકે ઉભો છે. એક થી પાંચ વર્ષના આધારે લગભગ મોટા ભાગની બજારોમાં ભારતે બધા કરતા પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. ભારતીય બજારોનું મુલ્ય હજુ પણ લાંબી અવધી સાથે બીજા બજારો કરતા સારું રહ્યું છે. આરબીઆઈ, સરકાર અને કોર્પોરેટ કંપનીઓએ મળી અત્યાર સુધી સ્થિતિને સારી રીતે જાળવી રાખી છે. છતાં પણ સાવચેત રહીને ચાલવામાં સમજદારી છે કારણ કે માર્કેટનું મૂલ્યાંકન સસ્તું નથી.
આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ નિમેશ શાહના કહેવા પ્રમાણે આજે દુનિયા પહેલા કરતા વધુ એક બીજા સાથે જોડાયેલી છે. આવામાં જો કોઈ સમસ્યા આવી જાય તો ભારતનું ઇક્વિટી બજારમાં પણ તેની અસર જોવા મળી શકે છે. નિમેશ શાહ વધુ આગળ જણાવતા કહે છે કે જ્યારે યુ એસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ, જાહેરાત કરશે કે મોંઘવારી હવે નથી રહી ત્યારે ઇક્વિટી માટે એક મુખ્ય એસેટ ક્લાસ તરીકે ઉભરી આવવાની તેના માટે એક શ્રેષ્ઠ તક હશે. જો કે કોઈ ના કહી શકે કે આવું ક્યારે થશે ત્યાં સુધી આપણે આશા રાખી શકીએ કે માર્કેટમાં ઉતર ચડાવ યથાવત રહે.
વૈશ્વિક મંદીની ભારત પર નહિ થાય કોઈ અસર
નિમિશ શાહનું કેહવું છે કે વિકસિત દેશોમાં વધતી મંદીનું ભારત પર કોઈ ખાસ અસર જોવા નહિ મળે. વૈશ્વિક મંદી ભારતને તેલના ઊંચા ભાવ, ચાલુ ખાતાની ખાધ અને મોંધવારી જેવી ચિંતાઓનો સામનો કરવામાં મદદ કરશે. શેર બજાર પડી જવાથી ભારતને કોઈ ચિંતા નથી કારણ કે ભારત દુનિયાના માળખાકીય બજારો માંથી એક છે. રશિયા-યુક્રેન પછીના સંઘર્ષે યુરોપ અને એશિયામાં પણ ભૌગોલિક રાજકીય સમસ્યાઓ સર્જાઈ છે પરંતુ ભારતીય બજારોએ આ મુદા પર વધુ ધ્યાન નથી આપ્યું. હવે જોવાની વાત એ રહે છે કે વિશ્વસ્તર ઉપર ભૌગોલિક રાજકીય ઘટનાક્રમ કઈ રીતે આગળ વધે છે. આ ઉત્તર ચડાવ અને સંભવિત મંદી વચ્ચે રોકાણ કરવામાં વિવિધતા લઇ આવી પણ જરૂરી છે જેથી કોઈ પણ નુકશાનને ટાળી અથવા ઓછુ કરી શકાય.
આ રીતે રોકાણ કરવું
ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
શાહના પ્રમાણે એક અસેટ ક્લાસ મ્યુચ્યુઅલ ફંડને આજ સુધી લોકપ્રિયતા નથી મળી, જયારે કે વીતેલા 18 - 20 મહિનાઓમાં સારા રિટર્નસે અને ખુબજ આકર્ષક બનાવી દીધું છે. ઉપભોક્તા વસ્તુઓના મુલ્ય વધારે હોવાને કારણે આવનારા સમયમાં આરબીઆઈ રેપો રેટના ભાવ વધારે તેવી શક્યતા છે. રોકાણમાં યેલ્ડને જોતા એક અસેટ ક્લાસ ડેટ જેને અત્યાર સુધી લોકપ્રીયતા નહતી મળી તે ફરી આકર્ષક લાગવા માંડી છે. આપણે આશા રાખીએ છીએ કે આવનારી બેઠકોમાં રેપો દર વધે કારણ કે ઉપભોગતા વસ્તુઓની કિંમત ખૂબ ઉંચી છે અને તેના કારણે લગભગ બધી જ વૈશ્વિક અર્થવ્યસ્થાઓ સાથે ભારતમાં પણ મોંધવારી અને આરબીઆઈ સામે કેટલીક મુશ્કેલી ઉભી કરી છે.
આવામાં વધુ વ્યાજ વાળી એક્રૂઅલ યોજનાઓ અને સતત વધતી અવધી વાળી સ્કીમમાં રોકાણ કરી શકાઈ છે. એક્રૂઅલ યોજનાઓમાં તમારા રોકાણ ઉપર બોન્ડ જાહેર કરવામાં આવે છે જેના ઉપર કંપની વ્યાજ પણ આપે છે. આના સિવાય પણ ફ્લોટિંગ રેટ બોન્ડ મતલબ કે વ્યાજમાં બદલાવવાળા બોન્ડમાં પણ રોકાણ માટે પણ પસંદ કરવામાં આવે છે. આના આવનારા સમયમાં આના સારા એવા પ્રદશનની આશા છે. રોકાણકારોએ એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા હોઈ છે અને તેને અવગણવું જોઈએ નહીં.
સમાધાન આપનારા મ્યુચ્યુઅલ ફંડ ઓફર
જ્યાં સુધી ફેડરલ રિઝર્વ મોંઘવારીથી લડવાના ઉપાયો અપનાવવા માટે પ્રતિબદ્ધ છે, ત્યાં સુધી બજારમાં ઉતાર ચડાવ બનેલો રહેવો જરૂરી છે. આવી પરિસ્થીતીમાં રોકાણકારો ખાસ કરીને ભારતીય રોકાણકારોએ 3-5 વર્ષના સમય સાથે એસઆઈપીના માધ્યમથી રોકાણ કરવું જોઈએ. ઇક્વિટી રોકાણની નજરથી, રોકાણકારોએ સંતુલિત લીવરેજ અથવા મલ્ટી-એસેટ કેટેગરી જેવી સંપત્તિ ફાળવણીને ધ્યાનમાં લેવી જોઈએ. બૂસ્ટર એસઆઈપી, બૂસ્ટર એસટીપી, ફ્રીડમ એસઆઈપી અથવા ફ્રીડમ એસડબલ્યુપી જેવા ફીચર્સને ધ્યાનમાં લઈ શકાય છે.
ગોલ્ડ- સિલ્વર ઈટીએફ અને ફંડ ઓફ ફંડ્સમાં રોકાણ
અસેટ ક્લાસમાં એક વિવિધ પોર્ટફોલિયો એ વસ્તુને સુનિશ્ચિત કરશે કે કોઈ પણ એક જગ્યાના જોખમને ઓછુ કરશે. અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને સોના ચાંદીમાં રોકાણ કરવું એક સારો વિકલ્પ છે. સોનું ચાંદીન માત્ર મોંઘવારી પરંતુ ચલણ અવમૂલ્યન દરમિયાન બચાવના રૂપમાં કામ લાગે છે. રોકાણકારો આમાં ઈટીએફ દ્વારા રોકાણનો વિચાર કરી શકે છે. જે લોકો પાસે ડીમેટ ખાતું નથી તે લોકો માટે સોના ચાંદી અને ફંડ ઓફ ફંડ્સ એક સારો વિકલ્પ છે.