પાકિસ્તાનના કરાંચીમાં ગયા અઠવાડિયે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્લનેના કાટમાળમાંથી 2 બેગ મળી. આ બંને બેગમાંથી લગભગ 3 કરોડ રૂપિયાની કેશ મળી હતી. આ તમામ કરન્સી અલગ અલગ દેશની હતી. વિમાનમાં ઘટનાસમયે 99 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મુસાફરોમાં 9 બાળકો સહિત 97 લોકોના મોત નીપજ્યા હતા.
પાકિસ્તાનના કરાંચીમાં પ્લેન થયું દુર્ઘટનાગ્રસ્ત
9 બાળકો સહિત 97 લોકોના થયા મોત
કાટમાળમાંથી મળેલી 2 બેગમાં હતા 3 કરોડ રૂપિયા
પાકિસ્તાનમાં 22 મેના જે વિમાન ક્રેશ થયું તેના કાટમાળમાંથી અલગ અલગ દેશોની 3 કરોડ રૂપિયાની કરન્સી મળી આવી છે. તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આટલી મોટી રકમ એરપોર્ટ સિક્યોરિટી અને લગેજ સ્કેનરમાં કેમ પકડાઈ નથી એ અંગે ઈન્વેસ્ટિગેશન કરાશે. આ રકમ બે બેગમાં મળી આવી છે. તપાસમાં લાગેલા અધિકારીઓનું કહેવું છે કે દુર્ઘટનામાં મૃતકો અને તેમના લગેજની ઓળખ કરવાનું કામ ચાલી રહ્યું છે.
દુર્ઘટનામાં થયા હતા 97 લોકોના મોત
22 મેના રોજ પ્લેન લાહોરથી કરાચી જઈ રહ્યું હતું. તે તેના લેન્ડિંગની થોડી મિનિટ પહેલા ક્રેશ થઈ ગયું હતું. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 99 લોકો હતા, જેમાંથી માત્ર 2ના જીવ બચી શક્યા હતા. મૃતકો 97 લોકોમાં 9 બાળકો હતા. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના કરાંચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે રહેણાક વિસ્તારમાં બની હતી.