પોલીસ ગ્રેડ પે આંદોલન તપાસ કમિટીની રચના થયા બાદ આખરે સમાપ્ત થયું છે. ત્યારે હવે આ આંદોલનને લઈને 229 પોલીસકર્મીઓ સામે તપાસ થશે સાથેજ 6 લોકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ ગ્રેડ પે આંદોલનનો આખરે અંત
229 પોલીસકર્મીઓ સામે હવે તપાસ થશે
તપાસ કમિટીની રચના થયા બાદ આંદોલન સમાપ્ત કરાયું
રાજ્યમાં પોલીસ કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પે મામલે આંદોલન કરી રહ્યા હતા. જોકે હવે તેમનું આંદોલન પૂર્ણ થયું છે. જેમાં આંદોલનની વચ્ચે તપાસ કમિટીની રચના કરવામાં આવી જેથી પોલીસ કર્મીઓ દ્વારા આંદોલનને સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. જોકે આંદોલમન સમાપ્ત થયા બાદ હવે તપાસનો ધમધમાટ વધ્યો છે.
229 પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ
આંદોલન પૂર્ણ થયા બાદ પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. જેમા આદોલનને સમર્થન આપનારા 229 પોલીસ કર્મચારીઓ સામે તપાસ કરવામાં આવશે જેને લઈને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ સમંગ્ર મામલે પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે.
એક પોલીસકર્મી સહિત 6 લોકો સામે ફરિયાદ
ગ્રેડ પે આંદોલનને લઈને પોલીસકર્મીઓ સામે શિસ્તભંગની નોટિસતો ફટકારવામાં આવી છે. આંદોલનને લઈને એક પોલીસકર્મી સહિત 6 લોકો સામે તો ફરિયાદ પણ નોધાઈ છે. જેથી આંદોલન સમાપ્ત થયા બાદ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગચો છે.
શિસ્તભંગને લઈને થશે તપાસ
ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે રાજ્યપોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે જો કોઈ પોલીસ કે તેમના પરિવારને રજૂઆત કરવી હોય તો કોઈ પણ શિસ્ત વિરુદ્ધની પ્રવૃત્તિ ન થવી જોઈએ. તેમ છતા કેટલાક જિલ્લાઓમાં શિસ્તભંગની ઘટના બની હતી. જેથી આ મામલે હવે 229 પોલીસ કર્મચારીઓની સામે તપાસની કાર્યવાહી શરૂ થશે.