વડોદરામાં યુવતી પર થયેલ દુષ્કર્મની ઘટના મામલે એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, તો ગુનેગારોની માહિતી મેળવવા માટે પોલીસ જાણે મરણિયા પ્રયાસ કરી રહી હોય તેમ પ્રજાનો સહયોગ માગ્યો છે.
વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ કથિત આપઘાતનો મામલો
ઘટનાના 20 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર
પોલીસે જાહેર કર્યા નંબર અને નાગરિકોની માગી મદદ
આ નંબર પર નાગરિકો પોલીસની કરી શકશે મદદ
ગુનેગારો અંગેની માહિતી આપવા પોલીસના નંબરો જાહેર
શહેર પોલીસ કંટ્રોલ રૂમ નંબર 0265 2415111/100 જાહેર
DCB પોલીસ સ્ટેશનનો 0265 2513635 નંબરથી કરી શકાશે સંપર્ક
PI આર.એ જાડેજાના 9825750363 નંબર પર માહિતી આપી શકાશે
PI વી.આર ખેરના 9909267090 નંબર પર કરી શકાશે સંપર્ક
PI વી.બી આલના મોબાઈલ નંબર 8980037926 પર કરી શકાશે સંપર્ક
ગુનેગારોની માહિતી આપનારનું નામ રખાશે ગુપ્ત
ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા બાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે, ગુનેગારોની માહિતી આપનારની વિગતો પોલીસ ગુપ્ત રખાશે. આ સાથે જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સહિત કુલ 400 પોલીસ કર્મીઓ સમગ્ર મામલે તપાસ કરશે.
20 દિવસ છતાં નથી મળી ભાળ
યુવતીની સાઈકલ ક્યાં છે તેની પણ તપાસ ચાલુ છે. એક હજારથી વધુ રીક્ષાવાળાની પૂછપરછ કરાઇ છે. લોકોના ઘરે જઇને તપાસ કરવામાં આવી રહી છે. 250 જેટલા CCTV તપાસવામાં આવ્યા છે અને 200 જેટલા સેક્સ્યુઅલ ઓફેન્સની તપાસ કરાઇ છે.
પીડિતાના શરીર પરથી મળી આવ્યા ઘા
હવે ઓએસીસ સંસ્થા તપાસમાં સહયોગ કરી રહી છે. શરૂઆતમાં સંસ્થા તરફથી સપોર્ટ મળતો ન હતો. સંસ્થા દ્વારા ડાયરીનું ફાડેલુ પેજ આપવામાં આવ્યું ન હતું. ડાયરીનું પેજ કોણે ફાડ્યું તે તપાસનો વિષય છે. તો PM રિપોર્ટમાં પીડિતાના શરીરે ઘા વાગેલા જોવા મળ્યા છે. યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાના પુરાવા મળ્યા છે.
સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 6 સિનિયર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. SITના સભ્યો દ્વારા ઘટનાસ્થળે જઈને પણ તપાસ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઘટનાના 20 દિવસ બાદ પણ આરોપી અંગે કોઇ ભાળ મળી નથી. પોલીસ આ અંગે વિવિધ થિયરીઓ પર કામ કરી રહી છે.તથા OASIS સંસ્થા સામે પણ તપાસ ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે આજે રેલવે ઓફિસ ખાતે SITની મિટિંગ યોજાશે.
હર્ષ સંઘવીએ કહ્યું થોડાક જ દિવસોમાં કેસ પરથી પરદો ઉઠશે
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મમાં પોલીસ હાલ તો ગોથા ખાઈ રહી તેવુ લાગી રહ્યું છે તેવા સમગ્ર કેસ મુદ્દે હર્ષ સંઘવી દ્વારા ફરી નિવેદન આપવામાં આવ્યું હતું કે યુવતીને ન્યાય અપાવીને રહીશું. થોડાક જ દિવસોમાં કેસ પરથી પરદો ઉઠી જશે. આરોપીને પકડી જનતા સમક્ષ લાવવામાં આવશે. પીડિતાની માતા વારંવાર ગૃહરાજ્યમંત્રી સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવી રહી છે. આ પહેલા પણ પીડિતા યુવતીના ભાઈ તરીકે ન્યાય અપાવીશ એવું હર્ષ સંઘવી કહી ચૂક્યા છે. રેલવે પોલીસ આપઘાત કેસને પોતાની રીતે ખોળી રહી છે જ્યારે વડોદરા પોલીસ દુષ્કર્મના કેસની તપાસમાં જોતરાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહાયક ભૂમિકામાં માર્ગદર્શન આપી રહી છે પણ હજુ સુધી કેસ ગોળ ગોળ ફરી રહ્યો છે.
કેસ પોલીસ 'અંધારા ઉલેચે' છે?
વડોદરામા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિટના કેસમાં હવે ઓએસીસ સંસ્થાના કેટલાક લોકો પોલીસ રડારમાં આવ્યા છે. શું આ ઘટના અંગે સંસ્થાના કેટલાક લોકોને જાણ હતી ? પોલીસે સંસ્થાના કેટલાક કર્મચારીઓના મોબાઈલ અને તેની વિગતો ચકાસવા માટે 'ટ્રેસ'કરવા શરૂ કર્યા છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર આ યુવતીના કેસ અંગે પૂર્વ સરપંચ રહી ચૂકેલા ઇશ્વરસિંહ સિસોદિયાએ કહ્યું કે, ન્યાય મળવો જોઇએ.
શંકાસ્પદ ભૂમિકામાં વોચમેનની કોઈ ભાળ નથી
દુષ્કર્મ કેસમાં ઘટનાસ્થળ વેક્સિન ગ્રાઉન્ડના વોચમેનની શંકાસ્પદ ભૂમિકા? મહત્વનું છે કે યુવતીએ બસ ચાલકની મદદ માંગી એ સમયે વોચમેનનો પણ ઉલ્લેખ હતો. સાયકલ ગૂમ થવામાં વોચમેનનો રોલ છે કે નહીં તે દિશામાં તપાસમાં ચાલી રહી છે પણ શંકાશીલ વોચમેન હજુ પણ ગાયબ છે. પોલીસે 19 સોસાયટીઓના વોચમેનની માહિતી મેળવી છે પણ કોઈ ભાળ લાગી નથી.
હત્યા કે આત્મહત્યા?
ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી તે વાત હવે કોરા કાગળની જેમ સાફ છે. કારણ કે, એક દીકરીનું ખુલ્લેઆમ અપહરણ થઈ જાય છે. તેની સાથે ગેંગરેપ થાય છે. અને ટ્રેનના ડબ્બામાં ગળેફાંસો ખાઈને લટકેલી હાલતમાં મળી આવે છે. પુરાવાઓ આત્મહત્યા નહીં હત્યાની દીશામાં ઈશારો કરી રહ્યા છે. જ્યારે પોલીસ આત્મહત્યાની દીશામાં તપાસ કરી રહી છે તે પણ મોટો સવાલ છે.